________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
ત્યાગ-સંયમનું સ્વરૂપ અસત્યથી મરે છે. મારી શ્રદ્ધાભક્તિવાળા ભક્તો સર્વથા સત્ય એવા મારા ધર્મથી સર્વશક્તિમંત બને છે. શ્રીમતી યશદાદેવી! સત્યથી આત્મધર્મ આરાધ. શૌચ-ધમ :
સત્ય સમાન વિશ્વમાં કોઈ સત્ય શૌચ નથી. દેહના શૌચા કરતાં મનનું શૌચ અનંતગુણ શ્રેષ્ઠ છે. મનના શૌચ કરતાં આત્મશૌચ અનતગુણ શ્રેષ્ઠ છે.
જે મનમાં પાપ છે તે મન શૌચથી રહિત છે. દ્રવ્ય મળના ત્યાગથી શૌચપણું તે મત્સ્ય (માછલાં), કચ્છપ (કાચબા) વગેરે પણ પામી શકે છે, પણ સત્ય શૌચ તે ન્યાય વિના પ્રાપ્ત થઈ શકતું નથી. જેના મનમાં , ઈર્ષા, વૈર પ્રગટતું નથી તેનું મન પવિત્ર છે. કાગડે જેમ ચાંદાં દેખે છે તેમ જે પારકાના દેને દેખ્યા કરે છે અને બેલ્યા કરે છે તેઓ અપવિત્ર છે. શ્રી નેમિનાથ તીર્થકરતા વખતમાં શ્રીકૃષ્ણ વાસુદેવ થયા. તેમનામાં અન્ય લેકેનું સારું દેખવાની દષ્ટિ ખીલી હતી અને અન્ય લોકોના દે દેખવાની વૃત્તિ વિલય પામી હતી તેથી તે ક્ષાયિક સમ્યકાવને પામ્યા હતા. શ્રીકૃષ્ણ સડેલા કૂતરાના ઉજજવલ દાંત વખાણ્યા હતા. તેથી કૃષ્ણ પર દેવતાએ રાગી બન્યા હતા. શ્રીકૃષ્ણ વાસુદેવને સાધુઓ પર ઘણે રાગ હતા. શ્રી નેમિનાથને તે પરમ ભક્ત હતા. તે અન્તરાત્મ પદને પામ્યા હતા. તે દ્રવ્યભાવથી પવિત્ર બન્યા હતા. તે પ્રમાણે “અનેક ઋષિમુનિઓએ ગુણાનુરાગરૂપ શુચિભાવને ધાર્યો હતે.
પારકા દોષ દેખવામાં અને કહેવામાં તે આખી દુનિયાના લેકો મશગૂલ છે. તેમાંથી જે પારકી નિંદા કરતે નથી તે પરમ શચિ છે. નિંદા સમાન કોઈ અન્ય મલિનતા નથી. શ્રેષબુદ્ધિથી પારકામાં ન હોય એવા દેન આરેપ થાય છે અને પરની મેટાઈ સહન થતી નથી. પરનો પર આળ દેવા સમાન કોઈ અશુચિભાવ નથી. જેવાં અન્ય લેક પર આળ ચઢાવવામાં આવે છે તેવાં
For Private And Personal Use Only