Book Title: Kalpanik Adhyatma Mahavira Part 2
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 527
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇક્વાદિએ કરેલી સ્તુતિ નંદિવર્ધન! તમારે સૂર્યવંશ છે. ભરતવંશના તમે છો તેથી તમારા વંશજો ભારતના શાસક છે. તે વંશવાળાઓ મારા ઉપદેશ પ્રમાણે પ્રવર્તશે અને મારો જાપ જપશે ત્યાં સુધી તેઓ અજિત જૈનરાયના ભક્તા રહેશે. મારા ઉપદેશથી જ્યારે તેઓ વિમુખ થશે ત્યારે તેઓ રાજાના રંક થશે અને અન્ય પ્રજાઓના ગુલામ બનશે. પાછા જ્યારે તેઓ મારા ઉપદેશ પ્રમાણે ચાલશે ત્યારે તેમાં મહાવીરશક્તિઓનું નવું જીવન વહેશે અને તેઓ પરતંત્રતાના બંધનમાંથી મુક્ત થશે. બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈો અને શુદ્રો જ્યારે મારી સેવાભક્તિથી વિમુખ થશે અને મારા ઉપદેશ પ્રમાણે નહીં વર્તશે, ત્યારે તેઓ દેશ, રાજ્ય, ધર્મ, ધનાદિક શક્તિઓથી પતિત થશે અને ગુલામ જેવું જીવન પ્રાપ્ત કરશે તથા તેમાં વીરવ રહેશે નહીં. પશ્ચાત જયારે તે મારા નામનો જાપ જપશે, મારી સહાય માગશે અને વીર થવા પ્રાણ સમર્પણ કરશે ત્યારે તેઓ સત્ય જૈનો અની વિશ્વમાં સ્વતંત્ર અને શક્તિમય જીવનથી જીવી શકશે અને અને જિવાડી શકશે તથા વિશ્વમાં સત્ય, વતંત્રતા, સમાનતાને પ્રચાર કરી શકશે. નંદિવર્ધન રાજન ! પાપ, ભીતિ, ઉપાધિ વગેરે વિચારેથી જો તું રાજ્ય કરવાનો ત્યાગ કરીશ તે તેથી તારી યેગ્યતા વિના સારિક ત્યાગધર્મને પામી શકીશ નહીં. એટલે તેથી પણ ભ્રષ્ટ થઈશ અને સ્વરાજ્ય ધર્મથી પણ જાણ થઈશ અને અન્ય લોકોને પણ પતિત કરીશ. તેથી જૈનધર્મના નાશમાં, જિનમંદિરોના નાશમાં નિમિત્ત બનીશ. તેથી ધર્મના બદલે અધમને ભાગી બનીશ અને તારા સ્થાને પાપી રાજા બેસે તે તેથી વિશ્વમાં અધર્મને પ્રચાર થાય, ઈત્યાદિ અનેક દેથી તું આચ્છાદિત થાય. માટે આસક્તિ વિના મારા ઉપદેશ પ્રમાણે રાજ્ય કર અને અધર્મને નાશ કરી સર્વ વિશ્વમાં ધર્મ પ્રચાર. જેઓના હૃદયમાં હું છું તેઓને પાપ ગતું નથી. તેઓ પાપકા પણ પુણ્યકાર્યરૂપે પરિણુમાવે છો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559