________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ૦
અધ્યાત્મ મહાવીર કર. મારી પાછળ થનારા જૈનાચાર્યો વગેરે અનેક પ્રકારના ત્યાગીએના બાહ્ય ગણાદિકના મતભેદોમાં મુક્તિ માનવી નહીં. મારા સ્વરૂપમાં રમણતા કરવાથી મુક્તિ છે, એમ મારી પાછળના જૈનાચાર્યોએ જાણવું તથા મારી સેવા, ભક્તિ, જ્ઞાન, ઉપાસનામાં શુદ્ધ પ્રેમથી પ્રવર્તવું.
| સર્વ તીર્થોમાં મારી એકતા, અભેદતા, અનંતતા અનુભવ અને સ્વાધિકારે તીર્થોની સેવા કરે. જે કાળે જે જે કર્તવ્ય કર્મો કરવાનાં છે તેને તીર્થરૂપ સમજે. મારી આજ્ઞા પ્રમાણે જૈનધર્મની ઉન્નતિ કરનારા જનોની સેવામાં અને મારી સેવામાં અભેદતાએકતા અનુભવો. કલેશોને ઉપશમાવો. જે કાળે ચતુર્વિધ મહાસંઘ વર્તતે હોય તેઓને તે કાળે જે રીતે વર્તવામાં વધુ કલ્યાણ દેખાય તેવા વ્યાવહારિક અને નિશ્ચયિક કર્મોને કરો. તીર્થોની સેવા કરો. સર્વ જી સત્તાએ તીર્થરૂપ તથા મારારૂપ છે, એમ જાણે સર્વ જીવનું કલ્યાણ કરો.
સર્વ જીવોની સેવાભક્તિ કરવી અને સર્વ જીવોમાં આત્મમહાવીર પ્રભુનું એક્ય અનુભવવું એ જ ઉત્તમ તીર્થયાત્રા છે. અન્યાયી દુર્જન દુષ્ટ મહાહિંસક લોકોની સાથે ધર્મયુદ્ધ કરવું તે ઉત્તમ તીર્થ છે.
ધમ્યયુદ્ધમાં પ્રાણત્સર્ગ કરવા અને ચતુર્વિધ મહાસંઘની રક્ષા અને ઉન્નતિ કરવી એ જ ઉત્તમ વિયાત્રા છે.
શુદ્ધાત્મમહાવીરસ્વરૂપમાં સર્વ પ્રેમીઓને જોવા એ ધર્મપ્રેમ તીર્થ છે.
શરીર, રૂપ તથા ધનાદિકના પ્રેમ કરતાં શરીરમંદિરમાં રહેલા આત્મવીરોની સાથે પ્રેમથી એક્તા અનુભવવી એ જ આત્મતીર્થની યાત્રા છે.
સવ નાં દુઃખ દૂર કરવા મન, વાણ, કાયાથી પ્રયત્ન
For Private And Personal Use Only