________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
() sષ્ટ ઝાહિદ્ય છ8
પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ પ્રસ્તુત ગ્રંથ અમર ગ્રંથ છે. આ ગ્રંથના કર્તા આચાર્ય દેવ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ છે. તેઓને સ્વર્ગવાસ પામે એક અર્ધશતાબ્દી જેટલે કાળ વ્યતીત થયે છે, પણ તેઓ પોતાના અક્ષરદેહે ને યશ શરીરે જૈન સમાજના તેમ જ ઇતર સમાજના હૃદયમાં બિરાજમાન છે. તેઓ સ્વર્ગમાં રહીને પણ ભવ્ય જીના પ્રેરકસમા છે. (તેઓશ્રીની પ્રેરણા ન હેત તો આ પુસ્તક પ્રગટ કરવાનું ભલભલાનું ગજું નહોતું. એમના જ પ્રેરણાબળથી આ પુસ્તક પ્રકાશ પામી શક્યું છે.) સ્વર્ગસ્થ સૂરીશ્વરે જૈન સમાજ અને ઈતર સમાજે પર જે ઉપકાર કર્યા છે, તે અવિસ્મરણીય છે.
મતિજ્ઞાનની નિર્દોષતા અને સ્વચ્છતા ઉપર જ દિવ્ય જ્ઞાનનું તેજ અને ગની સિદ્ધિઓ હસ્તગત થાય છે, અને પછી જ શ્રુતજ્ઞાન જાણે દેહધારી થઈને તે યેગીનાં ચરણ પખાળે છે. તે સમયે તે મહાપુરુષોનાં આન્તરચક્ષુ ખૂલી જાય છે, અને જીવન કરુણાની મૂર્તિ સમું બને છે. અન્યથા પ્રસ્તુત ગ્રંથના લેખકમાં આટલી બધી અનુભવજ્ઞાનની વિશાળતા ક્યાંથી હોય! આવા તાત્ત્વિક, સાત્ત્વિક ને આત્મિક હિતબુદ્ધિવાળા લેખનકાર્યમાં મન, વચન અને કાયાની એકાગ્રતા ને પવિત્રતા જ મુખ્ય કારણ હોય છે.
પ્રસ્તુત આચાર્ય ભગવંતના કેવળ ૨૪ વર્ષના જ ટૂંકા દીક્ષાપર્યાયમાં ૧૨૫ જેટલા ગ્રન્થ પ્રસાદીરૂપે જૈન સમાજને સાંપડયા
For Private And Personal Use Only