________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૧૭ આગળનાં કર્મની નિર્જરા કરી મોક્ષનું ગોત્ર બાંધી શકે છે. બધું કાર્ય ઉત્તમ વિચારશક્તિથી જ થઈ શકે છે. અનાદિ કાળથી બંધાયેલાં ગમે તેવાં. કર્મોને ઊંચી ભાવનાથી નાશ કરી શકાય છે.
આવું બધું જ્ઞાન સરળ ભાષામાં, ઉત્તમ શૈલીથી અને સાધારણ માણસ પણ સમજી શકે તેવી રીતે આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. જેને દુનિયામાં રખડવું ન હોય, જન્મમરણના ફેરા બંધ કરવા હોય અને ખરેખરું સુખ અને આનંદ મેળવવો હોય તેમણે અવશ્ય આ ગ્રંથો વાંચવા જોઈએ, તેમ હું કહું છું. અને તેને છપાવવા
આ અપ્રગટ ને અભુત ગ્રંથને પ્રગટ કરવા માટે અધ્યાત્મયોગી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટપ્રભાવક ગચ્છાધિપતિ શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રીમત કીર્તિસાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન અનુગાચાર્ય પંન્યાસપ્રવર શ્રી મહોદયસાગરજી ગણિવર્યના શિષ્યરત્ન મુનિપ્રવરશ્રી દુર્લભસાગરજી ગણિરાજ વગેરેએ જે મહેનત લીધી તેને માટે જેટલા ધન્યવાદ આપુ તેટલા ઓછા છે, અને તેમણે સમાજ ઉપર જે મહાન ઉપકાર કર્યો છે તેથી તેમનું નામ અને તેમની ગુરુપ્રીતિ અમર થઈ રહેશે.
વનીત રાજકોટ
મણિલાલ હાકેમચંદ ઉદાણી એમ. એ., એલએલ. બી. એડવોકેટ
૧૧-૩- ૬૯
For Private And Personal Use Only