Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 20
________________ આર્યોનું ભૂગોળ જ્ઞાન લેખક જશવંત ભટ્ટ છે કે જેમાં ( આ લેખ અખંડાનંદ (૩૧ જાન્યુ. ૧૯૬૮) માં પ્રગટ થયેલ, આમાંની કેટલીક વાતે અને માન્ય નહીં છતાં આર્ય સંસ્કૃતિના દષ્ટિકોણથી આ લેખ ઉપયોગી ધારી અહીં પ્રકાશિત કર્યો છે. સંપા.) પાશ્ચાત્ય, ઇતિહાસકારોએ આપણી પાસે આર્યોનું જે ચિત્ર રજૂ કર્યું તે સાવ વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. ઈતિહાસમાં તેને “જંગલી દશામાં ફરતાં ફરતાં અજ્ઞાનીઓનાં ટેળાં, વાય. વ્ય કેણુમાંથી આર્યાવર્તમાં ઊતરી આવેલાં” કહેવામાં આવ્યા છે. ઈ. સ. પૂર્વે સાતમી સદીમાં ઉત્તર ભારત અને દખણુના વિભાજનથી સેવા મહાજન પદ સ્થાપવામાં આવેલાં, તે દક્ષિણમાં દ્રાવિડ રાજ્ય હશે એમ માનવામાં આવે છે. ઉત્તરમાં અંગ, મગધ, કાશી, કેશલ, જજ, મલ, ચેરી, વત્સ, કુર, પંચાલ, મસ્ય, સૂરસેન, અસ્માત, અવંતી, ગાંધાર અને કબાજ હતાં. ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે કે ઈ. સ. પૂર્વે સાતમી સદીમાં આ બધી જ પ્રજાએ આગળ પડતી જ્ઞાતિ તરીકે વિકાસ પામેલી હતી. તેઓ સમાજ વ્યવસ્થા, રાજ્ય, વાણિજ્ય, તેમજ વ્યવહાર ખૂબ નિયમિત રીતે જાળવતા હતા. ભગવાન બુદ્ધના આગમન સમયે તેમના ધર્મને મગધ, કેશલ, વત્સ, અને અવંતિએ હસતે મોઢે સ્વીકાર કર્યો હતો, એટલું જ નહોતું, એ સમયે મગધના મહાજન પદમાં સ્વાતંત્ર્ય-યુગ પણ જન્મી ચૂક્યું હતું. એ વાત ઇતિહાસને પાને સુવર્ણાક્ષરે લખાયેલી છે. • આ તમામ હકીક્ત બતાવે છે કે આર્યોએ સમગ્ર સમાજના દરેકે દરેક અંગને સ્પર્શ કર્યો હશે અને એકેએક પાસાને ન્યાય આપ્યું હતું.” એ ન્યાય કેવળ ધર્મની વાતમાં જ સીમિત થતું નથી. ધર્મની સાથે કર્મને સમજાવવાને પ્રયાસ કર્યો છે. જ્ઞાન સાથે ધ્યાનને પણ એટલું જ મહત્વપૂર્ણ ગણ્યું છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102