Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ : જૈન ધર્મની વાર્તાઓ સમજીને તે મૂરખ બુઢ્ઢો વાંદરો તો ભયથી ચીચીયારી પાડતો નીચે પડ્યો ને સિંહુના પંજામાં પકડાઈને મરણ પામ્યો. પણ બીજો યુવાન વાંદરો તો ઊંચા ઝાડ ઉપર નિર્ભયપણે બેસી રહ્યો.. ને ત્યાં બેઠા બેઠા સિંહની ચેષ્ટા તેણે જોયા કરી. તે યુવાન વાંદરાએ વિચાર કર્યો કે બીજો વાંદરો નીચે પડીને કેમ મરી ગયો? ને હું કેમ ન મર્યો? વિચાર કરતાં તેણે શોધી કાઢયું કે હા, બરાબર ! તે વૃદ્ધ વાંદરાએ નીચેની છાયાને પોતાની માની, એટલે છાયા પર સિંહનો પંજો પડતાં જ તે અજ્ઞાનથી ભયભીત થઈને નીચે પડ્યો ને સિંહનો શિકાર બનીને મર્યો. મેં છાયાને પોતાની ન માની, તેથી હું મરણથી બચી ગયો. હવે તે યુવાન વાંદરાને એમ થયું કે સિંહે મારા દાદાને (વૃદ્ધ વાંદરાને) મૂર્ખ બનાવ્યા, તો હું પણ તેને તેની મૂર્ખતા બતાવીને બોધ આપું કે સિંહકાકા! તમે પણ એવી જ મૂર્ખાઈ કરી રહ્યા છો. એકવાર તેણે તે સિંહને જઈને કહ્યું કે હું સિંહકાકા ! તમે તો આ વનના રાજા છો. પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86