________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૪૭ અહા, સાધર્મી પ્રત્યે જ્યાં આવી ઉત્તમ ભાવના હોય ત્યાં એકબીજાનાં અનિષ્ટની કે નિંદાની કલ્પનાય ક્યાંથી હોય?–એમાંય આપણે તો વીતરાગ-શાસનના સાધર્મીઓ ! ભગવાનના શાસનમાં ઉત્તમ ધર્મસંસ્કાર વડે એકબીજા પ્રત્યે વાત્સલ્યની ભાવનાથી આપણું જીવન જરૂર શોભી ઊઠશે.
જય મહાવીર [ જૈન “કલ્યાણના આધારે, સાભાર]
0 ) ૐ 93
આત્મિક સંપત્તિ અમેરિકાના પ્રમુખ શું કહે છે?— તેમણે પોતાના પ્રવચનમાં હમણાં કહ્યું હતું કે-આપણે (અમેરિકનો) ભૌતિક રીતે સંપન્ન બન્યા છીએ પણ આત્મિક સંપત્તિમાં દરિદ્ર છીએ...” ત્યારે આપણે ભારતીઓ નિઃશંકપણે એમ કહી શકીએ કે અમારા ભારતદેશની આધ્યાત્મિક સંપત્તિ મહાન છે, અને અમારી તે સમૃદ્ધિવડે અમે ગૌરવ અનુભવીએ છીએ. કેમકે ગમે ત્યારે પણ સાચું સુખ ને શાંતિ આધ્યાત્મિક સંપત્તિવડ જ મળવાની છે. આપણા દેશની આ અમૂલ્ય સંપત્તિનું મહત્વ સમજીએ અને પરદેશ પાછળની દોડ છોડી દઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com