Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 70
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૦] અહિંસા-ધર્મની વારતા (૧) [ મુનિ... રાજા... અને ૪૦ લૂંટારા ] એક જંગલમાં ૪૦ લૂંટારાઓ રહેતા હતા. તેઓ ક્રૂરપરિણામી અને માંસાહારી હતા. જંગલમાં શિકારની શોધમાં તેઓ ફરતા હતા. એવામાં એક ધર્માત્મા-સંત તે જંગલમાંથી પસાર થતા હતા; આત્માને જાણનારા ને વીતરાગભાવમાં મહાલનારા તે સંત, દુષ્ટ લૂટારાઓની નજરે પડયા. એટલે તેમને મારી નાંખવા અને તેમનું માંસ ખાવા તે લૂટારાઓ તેમની પાછળ પડયા. ધર્માત્મા સંત-મુનિ તો ઉપસર્ગ સમજીને શાંતિથી ધ્યાનમાં ઊભા રહ્યા. લૂંટારાઓ તેમને મારવાની તૈયારીમાં હતા... પણ... એ જ વખતે ત્યાં એક રાજા આવી ચડયો; રાજા સજ્જન હતો ને બહાદુર હતો. મુનિને અને લૂંટારાઓને દેખીને તે તરત પરિસ્થિતિ સમજી ગયો. દુષ્ટ લૂંટારાઓના પંજામાંથી મુનિની રક્ષા કરવા તેણે લૂંટારાઓને ઘણા સમજાવ્યા કે આ નિર્દોષ ધર્માત્માને હેરાન ન કરો. પણ માંસના Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86