________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૦] અહિંસા-ધર્મની વારતા (૧)
[ મુનિ... રાજા... અને ૪૦ લૂંટારા ]
એક જંગલમાં ૪૦ લૂંટારાઓ રહેતા હતા. તેઓ ક્રૂરપરિણામી અને માંસાહારી હતા. જંગલમાં શિકારની શોધમાં તેઓ ફરતા હતા.
એવામાં એક ધર્માત્મા-સંત તે જંગલમાંથી પસાર થતા હતા; આત્માને જાણનારા ને વીતરાગભાવમાં મહાલનારા તે સંત, દુષ્ટ લૂટારાઓની નજરે પડયા. એટલે તેમને મારી નાંખવા અને તેમનું માંસ ખાવા તે લૂટારાઓ તેમની પાછળ પડયા.
ધર્માત્મા સંત-મુનિ તો ઉપસર્ગ સમજીને શાંતિથી ધ્યાનમાં ઊભા રહ્યા. લૂંટારાઓ તેમને મારવાની તૈયારીમાં હતા... પણ...
એ જ વખતે ત્યાં એક રાજા આવી ચડયો; રાજા સજ્જન હતો ને બહાદુર હતો. મુનિને અને લૂંટારાઓને દેખીને તે તરત પરિસ્થિતિ સમજી ગયો. દુષ્ટ લૂંટારાઓના પંજામાંથી મુનિની રક્ષા કરવા તેણે લૂંટારાઓને ઘણા સમજાવ્યા કે આ નિર્દોષ ધર્માત્માને હેરાન ન કરો. પણ માંસના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com