Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 80
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ : જૈન ધર્મની વાર્તાઓ હવે આમાં હિંસા અહિંસા કયા પ્રકારે છે તે જોવા માટે જ્યારે આપણે સુવર અને વાઘની સરખામણી કરશું, ત્યારે વાઘ કરતાં સુવરનાં ભાવ સારા છે, એટલે વાઘ કરતાં તે સુવરની આપણે પ્રશંસા કરીશું. | મુનિની હિંસા ન થઈ, તોપણ વાઘને પોતાના કૂર પરિણામને લીધે હિંસાનું પાપ લાગી જ ગયું ને તે દુર્ગતિમાં ગયો; વાઘની હિંસા થઈ, છતાં ભૂંડ પોતાના શુભ પરિણામને લીધે સુગતિમાં ગયું. એટલે માત્ર બાહ્ય જીવોનું જીવન-મરણ તે હિંસાઅહિંસા નથી, પણ જીવનો ભાવ જ હિંસા કે અહિંસા આ દષ્ટાંતમાં મુનિની હિંસા ભલે ન થઈ તોપણ તેને મારી નાખવાના વાઘના હિંસક ભાવને તો કોઈપણ રીતે સારો નહિ જ કહેવાય. મુનિને મારવાની અપેક્ષાએ મુનિને બચાવવાનો રાગભાવ જરૂર પ્રશંસનીય છે. –પણ હજી આપણી વાત અધૂરી છે; કેમકે હજી ત્રીજા પાત્રને ભેળવવાનું બાકી છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86