Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 82
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ : જૈન ધર્મની વાર્તાઓ પ્રગટ કરશે ત્યારે જ તે વીતરાગભાવરૂપ અહિંસા ધર્મમાં આવશે, ને તે પરમ અહિંસા ધર્મ વડે તે મોક્ષને સાધશે. આ રીતે ‘હિંસા પરમો ધર્મ:' છે. મુનિના વીતરાગ ભાવને અને ભૂંડના રાગભાવને આપણે એક કક્ષામાં નહીં મૂકીએ, કેમકે બન્નેની જાત એકબીજાથી વિરુદ્ધ છે. | મુનિને મારવાના ભાવની અપેક્ષાએ બચાવવાનો ભાવ તે ઉત્તમ હોવા છતાં બન્નેની કક્ષા એક છે. [ –જેમ એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓમાં એક પહેલો નંબર હોય ને બીજો છેલ્લો નંબર હોય -તોપણ બન્નેની કક્ષા એક જ છે.] વાઘ અને ભૂંડ બન્નેમાં જેટલા રાગાદિ કષાયભાવો છે તેટલી હિંસા છે; જે હિંસા છે તે અહિંસા નથી એટલે ધર્મ નથી. મુનિરાજનો વીતરાગભાવ તે અહિંસા છે, ને તે ધર્મ છે. આવી વીતરાગી અહિંસા-ધર્મનો જય હો. [ અહિંસા-ધર્મની બીજી વાર્તા પૂરી.] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86