________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : જૈન ધર્મની વાર્તાઓ પ્રગટ કરશે ત્યારે જ તે વીતરાગભાવરૂપ અહિંસા ધર્મમાં આવશે, ને તે પરમ અહિંસા ધર્મ વડે તે મોક્ષને સાધશે. આ રીતે ‘હિંસા પરમો ધર્મ:' છે.
મુનિના વીતરાગ ભાવને અને ભૂંડના રાગભાવને આપણે એક કક્ષામાં નહીં મૂકીએ, કેમકે બન્નેની જાત એકબીજાથી વિરુદ્ધ છે.
| મુનિને મારવાના ભાવની અપેક્ષાએ બચાવવાનો ભાવ તે ઉત્તમ હોવા છતાં બન્નેની કક્ષા એક છે. [ –જેમ એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓમાં એક પહેલો નંબર હોય ને બીજો છેલ્લો નંબર હોય -તોપણ બન્નેની કક્ષા એક જ છે.]
વાઘ અને ભૂંડ બન્નેમાં જેટલા રાગાદિ કષાયભાવો છે તેટલી હિંસા છે; જે હિંસા છે તે અહિંસા નથી એટલે ધર્મ નથી. મુનિરાજનો વીતરાગભાવ તે અહિંસા છે,
ને તે ધર્મ છે. આવી વીતરાગી અહિંસા-ધર્મનો જય હો. [ અહિંસા-ધર્મની બીજી વાર્તા પૂરી.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com