________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૯ જીવ મરે ત્યાં ઓછી હિંસા” એવો નિયમ નથી. જો એમ હોત તો રાજા જ વધારે હિંસક ઠરત. પણ એમ નથી. ત્યારે કેમ છે? વધુ કષાય ત્યાં વધુ હિંસા
ઓછો કષાય ત્યાં ઓછી હિંસા, ને અકષાયરૂપ વીતરાગભાવ
ત્યાં અહિંસા-એમ સિદ્ધાંત છે. * લૂંટારાઓએ મુનિને મારવાના ભાવનો ઘણો કષાય કર્યો તેથી તેને વધુ હિંસા લાગી ને તેઓ નરકમાં ગયા. * રાજાએ ઓછો કષાય કર્યો માટે તેને ઓછી હિંસા લાગી. જો કે તેને મુનિને બચાવવાનો શુભભાવ હતો, તેથી તે સ્વર્ગમાં ગયો; પરંતુ તેણે જેટલો કષાય કર્યો તેટલી તો હિંસા જ
થઈ, કેમકે કષાય પોતે જ હિંસા છે. * જેમણે રાગ-દ્વેષ ન કર્યો એવા મુનિરાજ પરમ-અહિંસક રહ્યા; ને મોક્ષ પામ્યા. આ રીતે વીતરાગભાવ તે જ અહિંસા છે, ને તે મોક્ષનું કારણ છે. [ અહિંસા-ધર્મની એક વાર્તા પૂરી.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com