Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 75
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates [૨૧] એક વાણીયો રાત્રિભોજન છોડીને રામ બન્યો.... તમેય રાત્રિભોજનનું પાપ છોડો એક જીવ પૂર્વે ભરતક્ષેત્રમાં ધનદત્ત નામનો વાણિયો હતો. એક વાર માર્ગમાં અત્યંત થાકેલો તે ધનદત્ત, ખેખિન્ન થઈને સૂર્યાસ્ત પછી રાત્રે કોઈ ધાર્મિક આશ્રમમાં પહોંચ્યો. તેને તરસ ખૂબ લાગી હતી; તેથી ત્યાં કોઈ મહાત્માને જોઈને કહ્યું-આપ પુણ્યકાર્ય કરનારા છો, હું બહુ તરસ્યો છું માટે મને પાણી આપો ! ત્યારે તે મહાત્માએ તેને મધુરવાણીથી કહ્યું-હૈ વત્સ ! રાત્રિમાં અમૃત પણ પીવું ઉચિત નથી, તો પછી પાણીની તો શું વાત ? જ્યારે આંખ પોતાનો વેપાર (દેખવાનું ) છોડી દે છે, અને આંખથી ન દેખાય એવા સૂક્ષ્મ જીવો ચારેકોર ફરતા હોય છે, એવા અંધકારમાં રાત્રિ સમયે તું ભોજન-પાન ન કર. હે બંધુ! કષ્ટ થાય તોપણ તું રાત્રિભોજન ન કર. રાત્રિભોજન કરીને દુ:ખથી ભરેલા સંસાર–સમુદ્રમાં ન પડ. Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86