________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩]
પાણી અને પથ્થર (પાણીનું ટીપું અને કાળમીંઢ પથ્થર વચ્ચે ચર્ચા)
નિર્ધારિત કાર્ય માટેની સતત લગની એ જ તેની સફળતાનું રહસ્ય છે-એમ બતાવતી એક બોધકથા “જન્મભૂમિ પ્રવાસી' માં આવેલ; તે ઉપયોગી હોવાથી અહીં સાભાર લીધી છે. આ પ્રેરક બોધકથા જિજ્ઞાસુઓને આત્મસાધનામાં પણ લાગુ પડે છે. (સં.)
એક નળમાંથી પાણીનાં ટીપાં હમેશાં નીચે જડેલા પથ્થર પર નિયમિત ટપક્યાં કરતાં હતાં. પાણીનાં ટીપાં પથ્થર પર પછડાતાની સાથે જ વેરવિખેર થઈ જતાં, સૂર્યનો તાપ અને પવન તેને તરત જ સૂકવી નાંખતા.
એક દિવસ પથ્થરે પાણીનાં ટીપાને પૂછ્યું “અરે ઓ મૂર્ખ જલબિંદુ! શા માટે તું રોજ ટપક્યા કરે છે? શા માટે નાહક તારી શક્તિને વેડફી દે છે? તારા ટપકવાથી મને તો કશું નુકસાન થતું નથી. પણ ઊલટાનું તું વેરવિખેર બનીને સૂકાઈ જાય છે–તારો જ નાશ થાય છે.'
પેલા ટીપાએ નરમાશથી પથ્થરને કહ્યું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com