________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૩
ભગવાનની પૂજા કરવા લઈ જાઉં છું; તમે જ હમણાં કહ્યું કે ભગવાન ઘણા પૈસા આપશે! તો તમારા વાસણથી હું ભગવાનની પૂજા કરીશ તેથી તમને પણ ભગવાન ઘણા પૈસા આપશે! પછી મારી પાસેથી અગિયાર આના લેવાની શી જરૂર છે?
પંડિતજીએ કેવી સરસ યુક્તિથી ઇશ્વરકર્તૃત્વનું ખંડન કર્યું! વેપારી તો પંડિતજીની યુક્તિથી અંજાઈ ગયો.
પછી તો પંડિતજીએ પૂરા પૈસા ચૂકવી દીધા, ને તેને યુક્તિથી સમજાવ્યું કે ભાઈ, ભગવાન મને કે તને કાંઈ આપતા નથી. ભગવાન તો પૂર્ણદશાને પામેલા ૫૨માત્મા છે; તેઓ પૂજા વડે પ્રસન્ન થઈને કાંઈ આપતા નથી, તેમજ નિંદા કરનારને તેઓ કોઈ શિક્ષા કરતા નથી. અને આપણે પણ ભગવાન પાસેથી કાંઈ લેવા માટે તેમની પૂજા નથી કરતા. આપણે તો ભગવાનના ગુણો પ્રત્યેનું બહુમાન પૂજાદ્વારા વ્યક્ત કરીએ છીએ; તેમાં આપણા પરિણામની જેટલી વિશુદ્ધિ થાય છે તેટલો આપણને લાભ છે.
(બનારસના એ પંડિત હતા-શ્રી ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રી! તેમણે આ પ્રસંગ ફત્તેપુરમાં પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે કહેલો.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com