Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 64
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦ : જૈન ધર્મની વાર્તાઓ જેમ આત્માનો ભાવ શું? કે જ્ઞાન-દર્શન વગેરે ચૈતન્ય-ભાવ તે જ આત્માનો ભાવ છે. અરે, તારા આત્માનો “ભાવ” શું તેની પણ તને ખબર નથી? દરેક વસ્તુના ગુણ તે જ તેનો સ્વભાવ છે. આત્માનો ભાવ તો અનંત જ્ઞાનાદિરૂપ ત્રિકાળ છે. ક્ષણિક રાગાદિક વિકાર તે આત્માનો ખરો ભાવ નથી; તે રાગભાવ વડે આત્માની ખરી કિંમત અંકાતી નથી. વસ્તુને તેના સાચા ભાવ વડે ઓળખવી જોઈએ. જેમ લાખ રૂા. ની કિંમતનો હીરો હોય ને તેની કિંમત પાંચ પૈસા ટાંકે તો તેને હીરાના ભાવની ખબર નથી. તેમ ચૈતન્યહીરો અનંત જ્ઞાનસમ્પન્ન, તેની કિંમત રાગ જેટલી ટાંકે તો તેને ચૈતન્ય-હીરાના સાચા ભાવની ખબર નથી; આત્માનો ભાવ, આત્માનો ગુણ તેણે જાણ્યો નથી. વસ્તુનો “ભાવ” જાણ્યા વગર વસ્તુની પ્રાપ્તિ થાય નહિ. દરેક વસ્તુમાં પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય છે ને તેના વડે તે વસ્તુ ઓળખાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86