Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 62
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ : જૈન ધર્મની વાર્તાઓ વડે પોતે પોતાના સ્વઘરની શાંતિને બાળે છે; પણ ક્રોધાગ્નિ બૂઝાવીને પોતે પોતાના શાંત પરિણામમાં રહે તો એને કાંઈ જ નુકસાન ન થાય, ને પોતાને આત્મિક શાંતિ મળે. આ રીતે પ્રતિકૂળતામાં ક્રોધ એ કાંઈ દુ:ખથી બચવાનો ઉપાય નથી, પણ શાંતિ એ જ દુઃખથી બચવાનો ઉપાય છે. જગતનો કોઈ શત્રુ તારી જે શાંતિને હણવા સમર્થ નથી તે શાંતિને તું પોતે જ ક્રોધ વડે કેમ હણે છે? જ્યાં ક્રોધ છે ત્યાં દુઃખ છે. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. હિમાલયથી ઊંચો કહો જોઈએ-આપણા હિમાલય પર્વતની ઊંચાઈ કેટલી ? -પાંચ કે છ માઈલ જેટલી. અને શાશ્વત જિનમંદિરોથી શોભિત મેરુ પર્વતની ઊંચાઈ કેટલી? શું હિમાલયથી બમણી હશે? ના, ના, હિમાલયથી તો આઠ કરોડ ગણી એની ઊંચાઈ છે. હિમાલયની પાંચ છ માઈલ, તો મેરુની પચાસ કરોડ માઈલ! જૈનવૈભવથી ભરપૂર મેરુ તે માનવલોકની મહાન શોભા છે. શાશ્વત જિનમંદિરો તથા તીર્થકરોના અભિષેકને લીધે તે જગપૂજ્ય તીર્થ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86