________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૫૪ : જૈન ધર્મની વાર્તાઓ
પોતાનું ચૈતન્યતત્ત્વ અને તેના શાંતરસનું વેદન તે અદ્દભુત સુંદર છે. પરથી ભિન્ન આત્માના એકત્વમાં જે સુંદરતા છે તે સુંદરતા જગતમાં બીજે કયાંય નથી. એની સુંદરતામાં વીતરાગતા છે, ને વીતરાગતામાં આનંદ છે.
અહો મિત્ર! તમે આવું સરસ... ૫૨મ સુંદર ચૈતન્યતત્ત્વ બતાવીને મારા ઉપર ઉપકાર કર્યો છે. હું પણ એ જ તત્ત્વને અંગીકાર કરું છું.
[અહા, ચક્રવર્તીપદ છોડવું પણ જેની પાસે સાવ સહેલું લાગે છે-એ ચૈતન્ય તત્ત્વની સુંદરતાની શી વાત ? ]
(જૈન ‘ કલ્યાણ ’ ના એક લેખના આધારે સાભાર –સં.)
ગણીત
પ્રશ્ન:- એક જીવ એક પદાર્થને એક સમયમાં જાણે છે, તો લાખ પદાર્થને કેટલા સમયમાં જાણશે ?
ઉત્તર:- એક સમયમાં.
પ્રશ્ન:- એક જીવે મોહકર્મનો ક્ષય કર્યો, તો હવે આઠ કર્મોમાંથી તેની પાસે વધુમાં વધુ કેટલા કર્મો બાકી રહેશે ?
ઉત્તરઃ- સાત કર્મ.
પ્રશ્ન:- એક જીવે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કર્યો, તો હવે તેની પાસે વધુમાં વધુ કેટલા કર્મો બાકી રહેશે ?
ઉત્તર:- ચાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com