________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૫] આપણે સૌ સાધર્મી
દુનિયામાં માતા-પુત્ર, અથવા ભાઈ–બેનનો સંબંધ ઉત્તમ છે, પણ સાધર્મીનો સંબંધ તો એના કરતાંય ઘણું ઊંચું સ્થાન ધરાવે છે; એટલે તો પ્રસિદ્ધ છે કે “સાચું સગપણ સાધર્મીતણું” એની તુલનામાં આવે એવો કોઈ સંબંધ હોય તો તે એક જ છે-ગુરુ અને શિષ્યનો; પરંતુ ગુરુ-શિષ્યનો આ સંબંધ પણ અંતે તો સાધર્મીના સગપણમાં જ સમાય છે, કેમકે એક જ ધર્મને માનનારાઓમાં જે મોટા તે ગુરુ, ને નાનો તે શિષ્ય. એટલે “સાચું સગપણ સાધર્મીતણું” એની સૌથી ઉત્કૃષ્ટતા છે.
એક રાષ્ટ્રમાં રહેનારા વિધર્મીઓ પણ રાષ્ટ્રીય ભાવના વડે એક બીજાને ભાઈ–ભાઈ સમજવામાં ગૌરવ અનુભવે છે, તો એક જિનશાસનની છાયામાં રહેનારા, ને એક જ દેવ-ગુરુ-ધર્મને ઉપાસનારાઓમાં ધાર્મિક ભાવના વડે પરસ્પર જે બંધુત્વનું નિર્દોષ વાત્સલ્ય વર્તતું હોય છે, અને “આ મારો સાધર્મીભાઈ કે બહેન છે' એવું કહેતાં એના અંતરમાં જે નિર્દોષ ભાવના અને ધાર્મિક ગૌરવ વર્તે છે–તેની તુલના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com