Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫] સનતકુમા૨-મુનિએ રોગ કઈ દવાથી મટાડયો ? (ભવરોગનું ઔષધ ) અતિશય રૂપવાળા ચક્રવર્તી સનત કુમારને મુનિદશામાં ભયંકર કોઢનો રોગ થયેલો; ત્યારે એક દેવ વૈદનું રૂપ ધારણ કરીને આવ્યો ને કહ્યું: પ્રભો ! આજ્ઞા આપો તો મારી ઔષધિથી આપનો રોગ એક ક્ષણમાં મટાડી દઉં! ત્યારે મુનિરાજ કહે છે: હે વત્સ! આ શરીરનો કોઢ જેનાથી મટી જાય એવી લબ્ધિ તો મારા થૂંકમાંય છે; પણ મને દેહના રોગની ચિંતા નથી, મારે તો મારા આત્માનો આ ભવરોગ મટાડવો છે... તેનું ઔષધ હોય તો તે રોગ મટાડ! ત્યારે દેવ કહે છે: પ્રભો! એ ભવરોગને મટાડનારું રત્નત્રય-ઔષધ તો આપની પાસે છે. મુનિરાજે રત્નત્રયરૂપ વીતરાગી ઔષધવડે ભવરોગને મટાડયો. આ દષ્ટાંતથી શ્રીગુરુ કહે છે કે હે જીવ! તું દેહની ચિન્તા ન કર; આત્માને દુ:ખી કરનારો ભવરોગ મટાડવાનો ઉપાય કર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86