________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સૌને ઉપયોગી છ અક્ષરનો મંત્ર
સંસારમાં ગૃહસ્થોને વિધવિધ પ્રકૃતિવાળા અનેક માણસોના પરિવાર વચ્ચે રહેવાનું હોય છે, અને છતાં પરિવારમાં સ્નેહ-શાંતિ-પ્રેમ રહ્યા કરે તે જોવાનું હોય છે. તો તે કઈ રીતે રહી શકે? તેનો એક મંત્ર જાણવા જેવો છે.
એક સદગૃહસ્થ સેંકડો માણસોના પરિવાર વચ્ચે રહેતા હતા; વિધવિધ પ્રકૃતિના નાના-મોટા માણસોમાં રોજરોજ અવનવા પ્રસંગો બનતા, છતાં પરિવારમાં સર્વત્ર શાંતિનું વાતાવરણ રહેતું હતું.-આ કારણે આખા ગામમાં એ પરિવારના સપનાં વખાણ થતાં હતાં.
હવે બીજા એક પરિવારમાં બે–ચાર માણસો જ હતાં; છતાં તેઓ સંપીને સાથે રહી શકતાં ન હતાં, ને રોજ કાંઈ ને કાંઈ કલેશ થયા કરતો. એકવાર તે સદ્દગૃહસ્થના પરિવારની શાંતિ સાંભળીને આ પરિવારના માણસોને આશ્ચર્ય થયું, અને તેનું રહસ્ય જાણવા માટે તેમની પાસે ગયા, અને તે વાત પૂછી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com