________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૩૦ : જૈન ધર્મની વાર્તાઓ
ત્યારે તે વડીલ સદ્દગૃહસ્થે કહ્યુંઃ ભાઈઓ, વિશાળ પરિવારની વચ્ચે પણ શાંતિ રહેવી એ કાંઈ બહુ અઘરી વાત નથી. તે માટે તેમણે એક કાગળ આપીને કહ્યું કે, શાંતિ માટેનો મહાન મંત્ર મેં આમાં લખ્યો છે; તે મંત્ર વડે જરૂર તમારા પરિવારમાં પણ શાંતિ થશે.
તે માણસોએ ઘરે જઈને તે મંત્ર વાંચ્યો... સો વાર વાંચ્યો... ને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા-કે વાહ! આટલો સહેલો મંત્ર! અને તે મંત્રથી તરત જ તેમના પરિવારમાં શાંતિનું આનંદમય વાતાવરણ ફેલાઈ ગયું.
પાઠકજી! તમને પણ તે મંત્ર જાણવાની ઉત્કંઠા થતી હશેઃ તો સાંભળો ! સદ્દગૃહસ્થે કાગળમાં માત્ર એક જ મંત્ર સો વાર લખ્યો હતો કે ‘ સહનશીલતા ’.. સહનશીલતા... સહનશીલતા... સહન...' [ વાહ! કેવો સહેલો મંત્ર! અને છતાં જીવનમાં સદાય કેવો ઉપયોગી છે! ]
સહનશીલતા એક એવો અમોઘ મંત્ર છે કે, જ્યાં બીજા કોઈ ઉપાયો કામ ન કરે ત્યાં પણ તે મંત્ર કામ કરે છે. સર્વ પ્રસંગમાં ઉપયોગી એવા એ મંત્રનો પ્રયોગ કદી નિષ્ફળ જતો નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com