Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 38
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ : જૈન ધર્મની વાર્તાઓ ભાઈ: આત્માની ખરેખરી લગનીપૂર્વક, જ્ઞાની-સંતો પાસેથી તેની સમજણ કરવી જોઈએ, અને પછી અંતર્મુખ થઈને તેનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. બેનઃ આવું સમ્યગ્દર્શન થતાં આત્માનો કેવો અનુભવ થાય? ભાઈ: અહા, એનું શું વર્ણન કરવું! સિદ્ધભગવાન જેવો વચનાતીત આનંદ ત્યાં અનુભવાય છે. બેનઃ હું ભાઈ ! તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કર્યું છે તો તત્ત્વો કેટલાં છે? ભાઈ: તત્ત્વો નવ છે; અને તે નવ તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. બેન: તે નવ તત્ત્વોનાં નામ કહો જોઈએ! ભાઈ: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ નવ તત્ત્વો છે. બેનઃ આ નવ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા છે? ભાઈ: નવ તત્ત્વોમાંથી શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે; તેને ઉપાદેય કરતાં સંવર-નિર્જરા ને મોક્ષ પ્રગટે છે. બેનઃ બાકી કયા કયા તત્ત્વો રહ્યાં? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86