________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : જૈન ધર્મની વાર્તાઓ ભાઈ: આત્માની ખરેખરી લગનીપૂર્વક, જ્ઞાની-સંતો
પાસેથી તેની સમજણ કરવી જોઈએ, અને પછી અંતર્મુખ થઈને તેનો અનુભવ કરવાથી
સમ્યગ્દર્શન થાય છે. બેનઃ આવું સમ્યગ્દર્શન થતાં આત્માનો કેવો અનુભવ
થાય? ભાઈ: અહા, એનું શું વર્ણન કરવું! સિદ્ધભગવાન જેવો
વચનાતીત આનંદ ત્યાં અનુભવાય છે. બેનઃ હું ભાઈ ! તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કર્યું છે તો
તત્ત્વો કેટલાં છે? ભાઈ: તત્ત્વો નવ છે; અને તે નવ તત્ત્વોની શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે. બેન: તે નવ તત્ત્વોનાં નામ કહો જોઈએ! ભાઈ: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર,
નિર્જરા, બંધ અને મોક્ષ-એ નવ તત્ત્વો છે. બેનઃ આ નવ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા છે? ભાઈ: નવ તત્ત્વોમાંથી શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે; તેને
ઉપાદેય કરતાં સંવર-નિર્જરા ને મોક્ષ પ્રગટે છે. બેનઃ બાકી કયા કયા તત્ત્વો રહ્યાં?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com