Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 40
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates [ ૯ ] ધર્મ.... પહેલો ( વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધર્મ કરશું' એમ કહેતાંકહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા વગર જ મરી ગયા. અરે, ધર્મ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી ? મુમુક્ષુને જીવનમાં પહેલું સ્થાન ધર્મનું હોય. પહેલી ક્ષણ ધર્મની... પહેલું કામ ધર્મનું. એક સાથે ત્રણ વધાઈ આવી ત્યારે, ભરતરાજે પુત્ર અને રાજચક્ર બન્નેને ગૌણ કરીને, કેવળજ્ઞાનની પૂજા પ્રથમ કરી; તે ધર્મની પ્રધાનતા પ્રસિદ્ધ કરે છે. ભાઈ, તારે દુ:ખથી છૂટવું હોય તો વર્તમાન ક્ષણ તારી પાસે હાજર છે, તેનો સદુપયોગ કરી લે; બીજી ક્ષણના ભરોસે રાહ જોઈને બેસી ન રહે. ધર્મમાં પ્રમાદી થઈશ તો પસ્તાવાનો વખત આવશે... અને જો ધર્મના સંસ્કાર લઈશ તો વૃદ્ધાવસ્થામાંય તે તને એવો સુંદર સહારો આપશે, કે બીજા સહારાની તારે જરૂર નહીં પડે. માટે ચેતી... જા ! * Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86