________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
[ ૯ ] ધર્મ.... પહેલો
(
વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધર્મ કરશું' એમ કહેતાંકહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા વગર જ મરી ગયા. અરે, ધર્મ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી ? મુમુક્ષુને જીવનમાં પહેલું સ્થાન ધર્મનું હોય. પહેલી ક્ષણ ધર્મની... પહેલું કામ ધર્મનું.
એક સાથે ત્રણ વધાઈ આવી ત્યારે, ભરતરાજે પુત્ર અને રાજચક્ર બન્નેને ગૌણ કરીને, કેવળજ્ઞાનની પૂજા પ્રથમ કરી; તે ધર્મની પ્રધાનતા પ્રસિદ્ધ કરે છે.
ભાઈ, તારે દુ:ખથી છૂટવું હોય તો વર્તમાન ક્ષણ તારી પાસે હાજર છે, તેનો સદુપયોગ કરી લે; બીજી ક્ષણના ભરોસે રાહ જોઈને બેસી ન રહે. ધર્મમાં પ્રમાદી થઈશ તો પસ્તાવાનો વખત આવશે... અને જો ધર્મના સંસ્કાર લઈશ તો વૃદ્ધાવસ્થામાંય તે તને એવો સુંદર સહારો આપશે, કે બીજા સહારાની તારે જરૂર નહીં પડે. માટે ચેતી... જા !
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com