________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૫ ભાઈ: બાકી અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એ પાંચ તત્ત્વો રહ્યાં; તે પાંચ તત્ત્વો ય છે.
બેન: વાહ! આજે સમ્યગ્દર્શનની અને હૈયઉપાદેય તત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના ઉપર ઊંડો વિચાર કરીને આપણે સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે.
ભાઈ: હા, બેન! સૌએ એ જ કરવા જેવું છે; જીવનમાં તું એ જ પ્રયત્ન કરજે. એનાથી જ જીવનની સફળતા છે.
ચારિત્ર અને સમ્યક્ત્વ
[વગર ટીકીટે મુસાફરી કરશો નહિ]
એક મુમુક્ષુઃ ચારિત્રદશા ધારણ કર્યે જ મોક્ષ પમાય છે. બીજો મુમુક્ષુઃ એ વાત તદ્દન સત્ય છે. પરંતુ ચારિત્રદા સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. સમ્યગ્દર્શન વગરના આચરણની મોક્ષમાર્ગમાં કાંઈ જ ગણતરી નથી; માટે પ્રથમ સમ્યગ્દર્શન કરજે. સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગમાં પ્રવેશવાની ટીકીટ છે. એના વગર મોક્ષમાં દાખલ થવા જઈશ તો ગુનેગાર બનીશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com