________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૪૩ કાંઈ દુ:ખ નહિ રહે. અંદરમાં જિનભાવના છે તો બહારની પ્રતિકૂળતા શું કરી શકવાની છે? માટે ખેદ છોડો... ને પ્રસન્ન ચિત્તે આત્માને સાધો.
હે મુમુક્ષુ! જીવનમાં મહાવીર-શાસનને પામીને હવે તમે ખેદખિન્ન જીવન જીવશો નહિ, આનંદમય જીવન જીવજો. તમારા જીવનને આનંદમય બનાવવા જ સંતોનો ઉપદેશ તમે જીવનમાં ઘણીવાર સાંભળ્યો છેઘણું વાંચ્યું છે ને ઘણું વિચાર્યું છે. અહા, આવા આનંદ સાધવાના અવસરમાં ખેદ શો! મુમુક્ષુને તો નિજાનંદની પ્રાપ્તિના અવસરમાં પરમ ઉત્સાહ હોય.
અરે મુમુક્ષુ! ભલે વૃદ્ધ થયા.. તોપણ તમે મુમુક્ષુ છો. શરીર ઢીલું થયું તેથી મુમુક્ષુપણાના ઉત્સાહને ઢીલો ન કરશો. યુવાની મટીને વૃદ્ધતા આવી તેથી કાંઈ તમે “મુમુક્ષુ” મટી નથી ગયા. મોક્ષની જ જેને અભિલાષા છે એવા મુમુક્ષુને વળી ખેદ શેનો? જગતમાં એવું તે શું દુઃખ છે કે તમારે ખેદ કરવો પડે? તમારે તો અત્યારે આત્માને સાધવાનો મહા આનંદપ્રસંગ છે... તો પ્રસન્નચિત્તે આત્માને સાધવામાં લાગી જાઓ. ખેદ છોડો! યાદ તો કરો, જીવનમાં તમને કેવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com