________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૩ આનંદકુમાર કહે: બહેન, મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન
જ્ઞાન-ચારિત્રની આરાધના કરવા જેવી છે. બેનઃ હું ભાઈ ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની
આરાધના કેવી રીતે થાય? ભાઈ: બેન! એ રત્નત્રયના મુખ્ય આરાધક તો
મુનિવરો છે; તેઓ ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડ
રત્નત્રયને આરાધે છે. બેનઃ ભાઈ ! રત્નત્રયના “મુખ્ય આરાધક મુનિવરો છે,
તો શું ગૃહસ્થોને પણ રત્નત્રયની આરાધના હોઈ
શકે ? ભાઈ: હા, બેન! એક અંશરૂપે રત્નત્રયની આરાધના
ગૃહસ્થોને પણ હોઈ શકે છે. બેનઃ આપણા જેવા નાના બાળક પણ શું રત્ન-ત્રયની
આરાધના કરી શકે ? ભાઈ: હા, જરૂર કરી શકે; પણ તે રત્નત્રયનું મૂળબીજ
સમ્યગ્દર્શન છે; તેથી પહેલાં તેની આરાધના કરવી
જોઈએ. બેનઃ અહા ! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્યો
છે. ભાઈ, તે સમ્યગ્દર્શનની આરાધના કેવી રીતે થાય ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com