________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : જૈન ધર્મની વાર્તાઓ અમૂલ્ય રત્નો છે; મારા હાથમાં આવાં રત્નો આવ્યાં છે. હુજી મનુષ્ય ભવમાં હિતનો અવસર છે. તો હવે આ અવસરને હું પાપમાં નહીં ગુમાવું. અરેરે, મેં કેવી મૂર્ખાઈ કરી કે આટલા બધા ભવો અજ્ઞાનપણે મૂર્ખાઈથી મેં રાગ-દ્વેષની રમતમાં નકામા ગુમાવી દીધા!
સંત જ્ઞાની કહે છે: હે ભાઈ ! તું મૂંઝા મા! હજી તું બધું નથી હારી બેઠો. હજી પણ જૈનધર્મનું રત્ન તારા હાથમાં છે. તે રત્ન એવું કિંમતી છે કે, તું તેની કિંમત બરાબર સમજીને સદુપયોગ કર, એટલે કે તેમાં કહ્યા પ્રમાણે ઉત્તમ આચરણ વડે જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમજ, તો આખી જીંદગી ને ભવિષ્યમાં સદાકાળ તને આત્માની અપૂર્વ શાંતિ મળશે. અનંતભવનું સાટું આ એક ભવમાં વળી જશે. તારા હાથમાં રહેલો આ એક ભવ પણ આત્માની સાધના અર્થે વીતાવ તો તારું અપૂર્વ કલ્યાણ થઈ જશે. માટે જે ભવો વીત્યા તેનો અફસોસ છોડીને હજી ધર્મનો જે અવસર અત્યારે તારા હાથમાં છે તેનો ઉત્તમ સદુપયોગ કરી લે. “જાગ્યા ત્યાંથી સવાર.'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com