________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫]
સનતકુમા૨-મુનિએ રોગ
કઈ દવાથી મટાડયો ? (ભવરોગનું ઔષધ )
અતિશય રૂપવાળા ચક્રવર્તી સનત કુમારને મુનિદશામાં ભયંકર કોઢનો રોગ થયેલો; ત્યારે એક દેવ વૈદનું રૂપ ધારણ કરીને આવ્યો ને કહ્યું: પ્રભો ! આજ્ઞા આપો તો મારી ઔષધિથી આપનો રોગ એક ક્ષણમાં મટાડી દઉં!
ત્યારે મુનિરાજ કહે છે: હે વત્સ! આ શરીરનો કોઢ જેનાથી મટી જાય એવી લબ્ધિ તો મારા થૂંકમાંય છે; પણ મને દેહના રોગની ચિંતા નથી, મારે તો મારા આત્માનો આ ભવરોગ મટાડવો છે... તેનું ઔષધ હોય તો તે રોગ મટાડ!
ત્યારે દેવ કહે છે: પ્રભો! એ ભવરોગને મટાડનારું રત્નત્રય-ઔષધ તો આપની પાસે છે.
મુનિરાજે રત્નત્રયરૂપ
વીતરાગી ઔષધવડે
ભવરોગને મટાડયો.
આ દષ્ટાંતથી શ્રીગુરુ કહે છે કે હે જીવ! તું દેહની ચિન્તા ન કર; આત્માને દુ:ખી કરનારો ભવરોગ મટાડવાનો ઉપાય કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com