Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ : જૈન ધર્મની વાર્તાઓ હે જીવ! જો તું જન્મ-જરા-મરણનો રોગ મટાડવા ચાહતો હો ને અજર-અમર થવા માગતો હો.. તો ધર્મરૂપી અમૃતનું પાન કર. સંસારના વૈદ્ય-દોક્તરોએ ટી. બી. , કેન્સર વગેરે રોગોનું ઔષધ શોધ્યું પરંતુ જન્મમરણનો રોગ મટાડવાનું કોઈ ઔષધ તેમની પાસે નથી. તે ભવરોગ મટાડવાનું ઔષધ તો ભગવાન જિનદેવે શોધ્યું છે; –તે કયું ઔષધ? કે રત્નત્રય ધર્મરૂપી રસાયણ તે ભવરોગ મટાડવાનું અમોઘ ઔષધ છે. તેનું સેવન કરો. ધર્મના સેવનથી મોહ–રોગ મટી જશે ને મોક્ષ થશે; શરીર જ નહિ રહે, પછી રોગ કેવો ને જન્મ-મરણ કેવા? ધર્મ-ઔષધિના સેવનથી તું સિદ્ધ પદ પામીને અજર-અમર થઈશ. બધી ઋતુમાં ફળે એવું ઝાડ ગુરુદેવ કહે છે કે આત્મા તે અતીન્દ્રિય આનંદનું ઝાડ છે. સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી જે આનંદદાયી ફળ છે તે આ અતીન્દ્રિય ચૈતન્ય-ઝાડમાં પાકે છે. બધી ઋતુમાં મીઠાં ફળ આપે એવું અતીન્દ્રિય આનંદનું ઝાડ આત્મા જ છે. સર્વ શોકને હરનારું અશોકવૃક્ષ પણ તે જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86