Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૧૧ ભૂલ કરી હતી. એકવાર તારા એક વાંદરા-દાદા ઝાડ ઉપર બેઠા હતા ને નીચે તેની છાયા પર સિંહે પંજો માર્યો, ત્યાં તો ઉપરનો વાંદરો ધ્રુજી ઊઠયો, ને ‘સિંહ મને મારી નાખશે' એવા ભયથી નીચે પડયો; એમ તું પણ હમણાં નીચે પડવાનો છો. વાંદરાએ હસીને કહ્યું: અરે સિંહમામા! એ જમાના ગયા. હવે તો ભેદજ્ઞાનના જમાના આવ્યા છે. પડછાયાને પોતાનો માનવાના જમાના વીતી ગયા. તમને ખબર નહિ હોય કે હું ‘સોનગઢ ના આંબાવન ' માં રહી આવ્યો છું. એ સોનગઢમાં એક મહાત્માના પ્રતાપે ભેદજ્ઞાનના વાયરા વાઈ રહ્યા છે; ત્યાંના મનુષ્યો તો જડ-ચેતનનું ભેદજ્ઞાન કરનારા છે, ને તે દેખીને મારા જેવા વાંદરાને પણ દેહ ને આત્માની ભિન્નતાની ભાવના જાગી છે. હવે છાયાને પોતાનું રૂપ માનીને પ્રાણ ગુમાવવાની મૂર્ખાઈના જમાના ગયા. તમે તમારે છાયા ઉપર ગમે તેટલા પંજા મારોને, હું તો છાયાથી જુદો નિર્ભયપણે મારા સ્થાને બેઠો છું. વાંદરાની વાત સાંભળીને સિંહમામા સમજી ગયા કે અહીં મારું કાંઈ ચાલવાનું નથી. ઊલટું વાંદરાની બુદ્ધિ પ્રત્યે તેને બહુમાન જાગ્યું Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86