________________
છે.
૫ કવિ અને જ્ઞાની ઉપરની દર્શાવેલી સર્વ કૃતિઓ વિચારતાં જે છાપ હૃદયને પડે છે, તે એ છે કે તેઓશ્રી શુદ્ધ અંતરાત્માના સ્વરૂપે હતા જે જે વાણુરૂપે હૃદયને આવિર્ભાવ નીકળેલ જોઈએ છીએ, તે વિચારતાં સ્પષ્ટ જણાય છે કે તેઓશ્રી અભુત, વિર, અધ્યાત્મજ્ઞાની હતા. પિતાના સમયમાં ગછભેદ, ગચ્છના ઝઘડા ઘણા હતા તે તેમના ચંદ્રાનન જિનના સ્તવનમાં આબેહુબ જણાવે છે, છતાં તે પર પિતાને કરૂણું આવતાં પિતાને શુદ્ધ સ્વરૂપના શેધકને ક્યો માર્ગ ઈષ્ટ છે તેના ઉત્તરમાં તટસ્થતા, અકવાયતા, શુદ્ધ આત્મધર્મમાં રમણતા એ માર્ગ સ્વીકાર્યો છે. જ્ઞાનની ઉત્તમ કાટિ તો દરેક સ્થલે જાજવલ્યમાનજ રહે છે. પિતાના સમયની સ્થિતિ અને પિતાની અતિરિક ભાવસ્થિતિ તે તેમના કાવ્યના રહસ્યને ખેજનારને તુરતજ માલુમ પડી આવે છે, અને તેપર લખવા ધારે તે ઘણુ જણાવી શકે તેમ છે.
૬ તેમના ગુરૂ શ્રી દીપચંદ્ર ગુરૂ પ્રત્યે ચરિત્રનાયક બહુ પ્રેમ, ભક્તિ, બહુમાન, આજ્ઞાધારતા ' રાખતા, અને તેમની સાથે રહી પિતે ઘણે સ્થળે વિહાર કરેલ છે, અને ગુરૂએ સંવત ૧૭૮૮ માં શત્રુંજય પર શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા અને સમવસરણની પ્રતિષ્ઠા કરી છે. તેમજ અમદાવાદમાં સહસ્ત્રફણાની પ્રતિષ્ઠા કરી છે. શ્રી દેવચંદ્રજીએ પિતે સંવત ૧૭૯૪ માં શત્રુજયપર પ્રતિષ્ઠા કરી છે એવું શિલાલેખ પરથી જણાય છે
૭ વિહાર શ્રી દેવચંદજી પોતાના ગુરૂ શ્રી દીપચંદ્ર પાઠક સાથે શત્રુજય, અમદાવાદ, ઘણે સ્થળે વિહાર કરેલ છે, તેમની કૃતિઓપરથી જણાય છે કે જેસલમીર, મેટા કેટા, અમદાવાદ, નવાનગર, પાલીતાણું, લીંબડી ભાવનગર વગેરે વગેરે સ્થળે ચોમાસા તથા વિહાર કરેલ છે. તેમાં પણ લીંબડી એક શાંતિસ્થાન પોતાનું હોય નહિ તેમ ત્યાં ઘણી વખત સુધી રહી ચોમાસાં કરી શાંતિના ફલરૂપે પિતાની કૃતિઓ કરી છે. લીંબડીમાં