________________
શ્રીમાનું વીરવિજયજી--ચંદ્રશેખર ૫૭ પૂછે કુંવર તેહને, આવ્યાં તમે કિણ હેત; નામ ઠામ તમે કુણ છે, સુણી સા એમ વદત , ૧૪.
ઢાળ ૧૪ મી. (છેલ છબીલા નંદના કુંવર છેલ જે–એ દેશી. ) રગ રસીલા રસિયા સુણ એક વાત છે, . દેશ વિદેશ જુઓ ફરતા દિન રાત જે; પણ હિમવત ગુફાએ જાવું કિમ પડ્યું જે. કુંવર કહે સુણ છેલ છબીલી નાર છે, કારણ વિણ પરઘર નવિ જાએ ગમાર જે; કામ વિશે હિમાચલ અમ જાવું થયું છે. જાવું થયું તે પરવત નઈ વન ભાળ્યા જે, ચતુરપણે કરિ સુરવર ચિત્ય નિહાળ્યાં ; મનુગ વિદ્યાધર સાધક કિમ મારિ જે. માર્યો તે મેં જાણું ખેટને ચાર છે, નારિ હરિ તસ સુણિયે સેર બકેર જે; મુકાવતાં થયો સામો ન તજી નારિને જે એમ નારીયે કે વિદ્યાધર લાવે છે, ક્ષત્રિ ઘણું જગ છે પણ નવિ છોડાવે છે, સગપણ વિણ નરરત્ન હણિ પાપ જ લિયે જે. પાપ ન હોવે હણતાને જે હણિએ જે, મુજ પરણી તે નારિનું સગપણુ ગણિએ જે; પશુ પંખી પણ નારી પરાભવ નવી ખમે જે. નવી ખમે તે જેહને એક જ નારી જે, તમે બહુ પરણી ગામોગામ વિસારી જો; તેહમાં ગઈ એક તે સંભારવી નવી ઘટે છે. નવી ઘટે તે ઇંદ્રને ઘર નહિ ખોડ જે, સતી ઝાઝી બાવિસ કોડાકોડ જે; એક રીસાઈ મનાવે તસ શું કારણે જે