Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 39
________________ ૩૨ છે. આ ત્રણ રનો એટલે શું ? હેમચંદ્રાચાર્ય તેનો જવાબ આપતાં લખે છેઃ પ્રાણ પુરુષનો આત્મા સ્વયં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર છે. - અર્થાત્ શાશ્વત મિથ્યાત્વમાયાજાળ-ભ્રમ અદૃશ્ય થવાથી આત્મામાં આત્માથી આત્માની ઓળખાણ થવી. આત્મા આત્માને જુએ છે. આત્મા આત્માને અનુભવે છે. આત્મરૂપ સૂર્યનો ઉદય થાય છે, ત્યારે અજ્ઞાનરૂપ અંધકાર, માયાજાળ વિ.નો કાયમ માટે વિલય કરી પોતાના સ્વભાવરૂપ સાથે એકાકાર થઈ અંતિમ મુકિત પ્રાપ્ત કરે છે. તમને આ અનુભવ થાય ત્યારે “હું કોણ છું? મારા કયા ગુણો છે? મારી ખરી સંપત્તિ કઈ?” વિ. પ્રશ્નોના બરાબર જવાબ મેળવી શકો છો, જેનાથી તમારી ચેતનાની અનંત શકિત પ્રગટ થતી જાય છે. પછી તમે પ્રતીત કરી શકશો કે “હું સ્વયં ચેતના છું. પૂર્ણ આનંદ છું. શાશ્વતતા છું.” હવે તમે જોશો કે જયાં અને જ્યારે તમને કોઈપણ પ્રકારે ચેતનાનો અનુભવ થાય ત્યારે તે તમે પોતે જ છો, અને જયાં ચેતનાનો અનુભવ નથી, ત્યાં તમે નથી. પછી તમે સંપત્તિ-સત્તા-ધન-કીર્તિ, નામ, પાત્રો વિ. બાહ્ય જડ ચીજોને પોતાની નહિ ગણો. આવી ચીજોથી આકર્ષાશો નહિ. સુખ અને દુઃખના ધ્રુવો વચ્ચે આંટાફેરા નહિ કરો. પછી તમે તમારા સ્વભાવમાં રહી સાચું સુખ અનુભવી શકશો. આ સાચો આનંદ તમને તમારા કેન્દ્રમાં લઈ જાય

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86