________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૪૮૧ મહત્ત્વ આપે છે. અન્ય અન્ય નયોને માન્ય સામાન્ય કે વિશેષને આ નય ગૌણ કરે છે. એટલું જ નહીં, પરંતુ શબ્દો દ્વારા જણાવાતી પદાર્થ સંબંધી વિશેષતા હોય તો તેને ગૌણ કરે છે. ઉપેક્ષા કરે છે. પણ શબ્દ સંબંધી વિશેષતાને ઘણું મહત્વ આપે છે. લિંગભેદ, વચનભેદ, જાતિભેદને કારણે અર્થભેદ કરે છે.
આ કારણે ઘટનો વર્તમાનકાલ જ્યારે હોય ત્યારે પણ ઘટ એ નિર્વિશેષ ઘટ જ છે. અર્થ-ગત વિશેષતાને આ નય ધ્યાનમાં લેતો નથી. આ કારણે જ કર્મકારકતા, કરણકારકતા, સંપ્રદાનકારકતા, અપાદાનકારકતા અને સ્વામી આદિ સંબંધી વિશેષતાને આ નય સ્વીકારતો નથી. તેથી જ “ધર્ટ પર” અથવા “ધટેન નન્ન વિમર્તિ” ઈત્યાદિ પ્રયોગોમાં ઘટમાં કર્મ-કારકતા, કરણકારકતા વગેરે ભિન્ન ભિન્ન કારક વડે કરાયેલા ભિન્ન ભિન્ન વ્યવહારો આ નયની દૃષ્ટિએ વિચ્છેદ પામે છે. અર્થાત્ ઘટતા નથી. આ કારણથી જે જે શબ્દોનું લિંગ સમાન, વચન સમાન, પુરુષ સમાન, કારક સમાન, આમ સમાન લિંગાદિ વાળા શબ્દો દ્વારા જણાવાયેલી વસ્તુને જ વસ્તુ તરીકે સ્વીકારે છે, પણ ઈતરને (ભિન્ન લિંગાદિ વાળાને) વસ્તુ તરીકે આ નય સ્વીકારતો નથી. કારણ કે જે પુરુષ હોય છે તે સ્થાણુ હોતું નથી અને જે સ્થાણુ હોય છે તે પુરુષ હોતો નથી, ભિન્ન શબ્દ હોવાથી ભિન્ન ભિન્ન પદાર્થ છે. આ બન્ને શબ્દો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ જો તે શબ્દોથી વાચ્ય વસ્તુ એક ઈચ્છાય તો વચન પ્રમાણેના અર્થની (શબ્દ પ્રમાણે પદાર્થ નથી માટે તે અર્થની) હાનિ થાય.
વસ્તુ-વસ્તુનો ભેદ સમજાવવા માટે જ શબ્દો બોલાય છે. પછી ભિન્ન એવા બે સ્થાણુ-પુરુષ શબ્દોથી વાચ્ય વસ્તુ એક કેમ હોય? આ કારણથી જ “સ્વાતિઃ તારા નક્ષત્રમ્' આ ત્રણે શબ્દોમાં લિંગ ભિન્ન ભિન્ન હોવાથી, “નિસ્વીપૃથ્વી: વમિતિ” અહીં પૂર્વપદમાં બહુવચન અને વનને એકવચન હોવાના કારણે વચનભેદ હોવાથી, તથા “ પતિ, વં પસિ, મર્દ પાકિ” આ શબ્દોમાં પુરુષભેદ હોવાથી અને પામિ, પાવડ, પામ: ઈત્યાદિ શબ્દોમાં વચનભેદ હોવાથી આવા આવા પ્રકારના સર્વ શબ્દોમાં અરસપરસ જ એક-બીજાની વિશેષતાનો વ્યાઘાત કરનારા આ શબ્દો થયા, તેથી તે અવસ્તુ (મિથ્થા વસ્તુ) જ છે. જે જે શબ્દો પરસ્પર એક-બીજાના વિશેષ ધર્મનો વ્યાઘાત કરનારા હોય છે તે સર્વે અવસ્તુ જ જાણવી.
જેમકે “શિશિર વૈ7:” શિશિર ઋતુ છે પણ ઘણો જ તાપ છે, આમ બોલવું કે સમજવું મિથ્યા છે. કારણ કે પરસ્પર વિરુદ્ધ ધર્મ છે માટે મિથ્યા છે. તેવી જ રીતે “તદ: તરી તમિત્યવતુ'' આ ત્રણે શબ્દોમાં લિંગ ભિન્ન ભિન્ન હોવાથી અવસ્તુ છે. જેમ રક્ત