________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક- ૧૭
૫૧૩
અવશ્ય થાય છે. પરંતુ જે મહાત્મા પુરુષો પરભાવથી સર્વથા નિઃસ્પૃહ છેતે મહાત્માઓને પરપદાર્થ પ્રત્યેનો ગ્રહણ-સંરક્ષણનો પરિણામ જ ન હોવાથી ભય, ભ્રમ કે ખેદ કેમ હોય ? અર્થાત્ ન જ હોય. તેથી આ આત્માએ જેટલું વધારે નિઃસ્પૃહ રહેવાય, પરની આશા તજાય, તેટલું તેટલું વધારે નિઃસ્પૃહ થવું અને પરની આશા ત્યજી દેવી એવો ઉપદેશ છે. કવિઓએ કહ્યું છે કે
-
પરકી આશા સદા નિરાશા, એ હે જગજન પાશા ।
તે કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા ॥૧॥ આપ૦ पुनर्निर्भयमूलभावनां दर्शयन्नाह
-
નિર્ભયદશાની પ્રાપ્તિમાં હેતુભૂત મૂલ ભાવનાને જણાવતાં કહે છે
भवसौख्येन किं भूरि- भयज्वलनभस्मना ।
सदा भयोज्झितं ज्ञान - सुखमेव विशिष्यते ॥२॥
ગાથાર્થ :- ઘણા ભયોરૂપી અગ્નિથી દગ્ધ બનેલા (રાખતુલ્ય) એવા સાંસારિક સુખ વડે શું ફાયદો ? સદાકાલ ભયોથી રહિત એવું જ્ઞાન સુખ જ અધિક છે. ૨ા
ટીકા :- ‘“મવસૌબ્રેનેતિ'' મૂરિ-વધુ, મયસ્ય-ફ્લોપાતોમિયસ્ય ખ્વતનું તસ્ય ( મયં-ફદ્દલો-પરભોળાવિ, તહેવ જ્વલનસ્તસ્ય) મમ્મના-ક્ષારભૂતેન चौरदायादराजभयज्वलनदग्धेन भवसौख्येन इन्द्रियजेन मन्यमानसौख्येन जात्या दुःखरूपेण किं ? न किमपि नैवेत्यर्थः । ज्ञानं तत्त्वपरिच्छेदानुभवरूपं, तस्य सुखं निर्भयमेव विशिष्यते-सर्वाधिकत्वेनाङ्गीक्रियते, सुखस्वरूपं च ज्ञाने एव, पौद्गलिके सुखे सुखारोप भ्रम एव । उक्तञ्च
-
जं पुग्गलजं सुहं (सुक्खं), दुक्खं चेवत्ति जह य तत्तस्स । गिम्हे मट्टिअलेवो, विडंबणाखिंसणामूलं ॥१॥
अतः पुद्गलग्रहणं न सुखमकार्यमेव ॥२॥
વિવેચન :- સંસારનું એકે એક સુખ ઘણા ઘણા ભયો અને ઉપદ્રવોથી ભરેલું છે. કોઈપણ સુખની પાછળ અનેક જાતની ઉપાધિઓ રહેલી હોય છે. દાખલા તરીકે ધનની વૃદ્ધિ થાય તેને લોકમાં સુખ માનવામાં આવે છે. પરંતુ જેને જેને ધનની વૃદ્ધિ થાય તેને તેને
રાજાનો ભય, ટેક્ષનો . ભય, ચોર-લૂંટારાનો ભય, ભાગીદારોનો ભય, કુટુંબીઓ માગશે એવો