Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 83
________________ ૫૪૦ અનાત્મશંસાષ્ટ્રક-૧૮ જ્ઞાનસાર આત્માના ગુણોનું આચ્છાદન કરનાર શત્રતુલ્ય તત્ત્વો કયાં કયાં છે ? શરીff - ઔદારિકાદિ શરીર કે જે શરીર કાલાન્તરે અવશ્ય વિનાશ પામવાના સ્વભાવવાળાં છે. તેમાં પણ ઔદારિક શરીર તો લોહી-માંસ-ચરબી આદિ ગંદી ગંદી સાત ધાતુઓથી બનેલું છે. જેના છિદ્રોમાંથી નીકળતી કોઈપણ વસ્તુ જોવી કે સુંઘવી ગમતી નથી એવા પુદ્ગલ માત્રનાં બનેલાં શરીર છે અને અહીં જ રહેવાનાં છે. તેથી વિનાશી સ્વભાવવાળાં છે તેનાથી મોહપ્રીતિ-હર્ષ કેમ કરાય? રૂપ-શારીરિક વર્ણ, સંસ્થાનનામકર્મ, નિર્માણનામકર્મ અને વર્ણનામકર્મથી બનેલું શરીરનું રૂપ તથા આકૃતિ વગેરે છે. આ પણ પરદ્રવ્યનો જ પર્યાય છે, વિનાશી છે, ભવાન્તરાનુયાયી નથી. તથા લાવણ્ય એટલે કાન્તિ, તેજ, ઓજસ, બુદ્ધિસંબંધી સૌન્દર્યચતુરાઈ. આ પણ સૌભાગ્ય નામકર્મના ઉદયથી થયેલો પર્યાય છે. અથવા પુરુષવેદ, સ્ત્રીવેદાદિ રૂપે શરીરની આકૃતિ મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી શરીરની વ્યવસ્થિત દેખાવડી સુંદર અંગ-ઉપાંગની રચના રૂપ પરદ્રવ્યનો જ પર્યાય છે. ગ્રામ એટલે કે લોકો જેમાં નિવાસ કરે એવું ગામ, દેશ, નગર વગેરે પણ અન્ય દ્રવ્યના જ પર્યાય છે. આરામ એટલે ઉદ્યાન, જંગલ, બગીચા વગેરેની ભૂમિ. આ પણ પુદ્ગલાસ્તિકાય અને વનસ્પતિકાયના જીવો રૂપ પરદ્રવ્ય જ છે. ધન એટલે ગણી શકાય તેવું રૂપિયા વગેરે, તોળી શકાય તેવું ઘી-તેલ-ગોળ-ખાંડ વગેરે, આદિ શબ્દથી માપી શકાય તેવું કાપડ, લાકડું, પતરાં વગેરે આ સર્વે પણ પરવસ્તુ જ છે. મૂલગાથામાં શરીર, રૂપ, લાવણ્ય, ગ્રામ, આરામ અને ધન શબ્દનો દ્વન્દ સમાસ થયો છે. આવી આવી પૌગલિક પરવસ્તુઓ વધવાથી આત્માના સ્વરૂપનો કયો વધારો થયો ? આત્માને ઉત્કર્ષ-હર્ષ-ઉન્માદ કેમ થાય ? આત્મતત્ત્વનો કંઈ વધારો થતો નથી. ઉપર કહેલી સર્વે પણ વસ્તુઓ પૌદ્ગલિક છે. ચેતન સ્વરૂપ નથી માટે પરદ્રવ્ય છે. તેના ઉપર મોહ થવાથી પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ-દ્વેષ કરાવવા દ્વારા તે વસ્તુઓ કર્મબંધનું કારણ થાય છે અને આત્માના શુદ્ધ ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવના ગુણોનું અવરોધક બને છે. તેથી તેની સાથેનો સંગ પણ નિંદનીય છે. તેના સાથે જોડાવું આ પણ આત્માના પતનનું જ કારણ છે. માટે કેવલ નિંદ્ય જ છે તો પછી તેની પ્રાપ્તિ વડે ઉત્કર્ષ ગાવો અને અભિમાન કરવું તે સજજનોને શોભા કેમ આપે ? ઉત્તરાધ્યયન નામના સૂત્રમાં જ કહ્યું છે કે – धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहिं चेव । समणा भविस्सामो गुणोहधारी, बहिं विहारा अभिगम्म भिक्खं ॥ (૩ત્તર૦ ૨૪, માથા-૨૭)

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136