Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti
View full book text
________________
૫૬૨ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता । इति नैसर्गिका दोषा, यासां तासु रमेत कः ? ॥८४॥ भवस्य बीजं नरक-द्वारमार्गस्य दीपिका । शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥८७॥
(ગોપાશાસ્ત્ર પ્રાશ ૨, નોવ ૮૪-૮૭) अन्यशास्त्रेऽपि - कान्ताकनकसूत्रेण, वेष्टितं सकलं जगत् । तासु तेषु विरक्तो यो, द्विभुजः परमेश्वरः ॥१॥ इत्यादि तत्त्वज्ञस्य नारी मोहहेतुत्वाद् भवबीजरूपा भाति । ॥४॥
રસ (પ્રસવણ-પેશાબ), અચૂક રુધિર-લોહી), માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકાં), મજ્જા, શુક્ર વીય) અન્ન (આંતરડાં) વર્ચસ્ (વિ) ઈત્યાદિ કેવળ અશુભ પદાર્થોનું જ સ્થાન કાયા છે. અર્થાત્ આ કાયા ઉપરોક્ત અશુભ પદાર્થોથી ભરેલી છે. તેથી તે કાયામાં પવિત્રતા ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય. (યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૨)
વંચકપણું (છેતરવાપણું) કુર-ઘાતકીપણું, ચંચલપણું, વ્યભિચારિપણું, આ દોષો જે સ્ત્રીઓમાં નૈસર્ગિક છે. (સ્વાભાવિક છે) તે સ્ત્રીઓમાં કોણ પ્રેમ કરે? અર્થાત્ કોઈ ન કરે.
અંગના (એટલે સ્ત્રી) એ સંસારનું બીજ છે. નરકના દરવાજાનો માર્ગ દેખાડનારી છે, શોક-અરતિ-ઉદ્વેગનું મૂલ છે, કજીયાનું પણ મૂલ છે અને દુઃખોની ખાણ છે.” (યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક ૮૪-૮૭)
અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
કાન્તા (સ્ત્રી) અને કનક (સુવર્ણ) આ બન્ને પદાર્થ રૂપી દોરા વડે સકલ જગતુ. વીંટાયેલું છે. તેથી તે સ્ત્રીઓમાં અને તે કનકમાં જે પુરુષ રંગાતો નથી તે જ દ્વિભુજ (મનુષ્ય) સાચો પરમેશ્વર છે.
ઈત્યાદિ અનેક શાસ્ત્રોના પાઠોના વિધાનથી સમજાય છે કે તત્ત્વજ્ઞ પુરુષને નારી મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે (એ જ પ્રમાણે તત્ત્વજ્ઞાની સ્ત્રીને પુરુષ મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે. ઉપરની સઘળી હકિકત સ્ત્રીને આશ્રયી પુરુષમાં પણ સમજવી.) જા.

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136