________________
૫૬૨ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता । इति नैसर्गिका दोषा, यासां तासु रमेत कः ? ॥८४॥ भवस्य बीजं नरक-द्वारमार्गस्य दीपिका । शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥८७॥
(ગોપાશાસ્ત્ર પ્રાશ ૨, નોવ ૮૪-૮૭) अन्यशास्त्रेऽपि - कान्ताकनकसूत्रेण, वेष्टितं सकलं जगत् । तासु तेषु विरक्तो यो, द्विभुजः परमेश्वरः ॥१॥ इत्यादि तत्त्वज्ञस्य नारी मोहहेतुत्वाद् भवबीजरूपा भाति । ॥४॥
રસ (પ્રસવણ-પેશાબ), અચૂક રુધિર-લોહી), માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકાં), મજ્જા, શુક્ર વીય) અન્ન (આંતરડાં) વર્ચસ્ (વિ) ઈત્યાદિ કેવળ અશુભ પદાર્થોનું જ સ્થાન કાયા છે. અર્થાત્ આ કાયા ઉપરોક્ત અશુભ પદાર્થોથી ભરેલી છે. તેથી તે કાયામાં પવિત્રતા ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય. (યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૨)
વંચકપણું (છેતરવાપણું) કુર-ઘાતકીપણું, ચંચલપણું, વ્યભિચારિપણું, આ દોષો જે સ્ત્રીઓમાં નૈસર્ગિક છે. (સ્વાભાવિક છે) તે સ્ત્રીઓમાં કોણ પ્રેમ કરે? અર્થાત્ કોઈ ન કરે.
અંગના (એટલે સ્ત્રી) એ સંસારનું બીજ છે. નરકના દરવાજાનો માર્ગ દેખાડનારી છે, શોક-અરતિ-ઉદ્વેગનું મૂલ છે, કજીયાનું પણ મૂલ છે અને દુઃખોની ખાણ છે.” (યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક ૮૪-૮૭)
અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
કાન્તા (સ્ત્રી) અને કનક (સુવર્ણ) આ બન્ને પદાર્થ રૂપી દોરા વડે સકલ જગતુ. વીંટાયેલું છે. તેથી તે સ્ત્રીઓમાં અને તે કનકમાં જે પુરુષ રંગાતો નથી તે જ દ્વિભુજ (મનુષ્ય) સાચો પરમેશ્વર છે.
ઈત્યાદિ અનેક શાસ્ત્રોના પાઠોના વિધાનથી સમજાય છે કે તત્ત્વજ્ઞ પુરુષને નારી મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે (એ જ પ્રમાણે તત્ત્વજ્ઞાની સ્ત્રીને પુરુષ મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે. ઉપરની સઘળી હકિકત સ્ત્રીને આશ્રયી પુરુષમાં પણ સમજવી.) જા.