Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ જ્ઞાનપદ ભજીએ રે આરાધના એટલે જ્ઞાનીની આરાધના અને જ્ઞાનનાં સાધનો/. ઉપકરણોની આરાધના, તેમાં સુરક્ષા, સંવર્ધન વગેરે આવે છે. " મોક્ષમાર્ગની વાત જ્યાં આવે ત્યાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર આવો ક્રમ આવે છે. તો જ્ઞાન-દર્શન અને ચારિત્ર આવો પણ ક્રમ આવે છે. આ નયભેદે બન્ને સત્ય છે. સમ્યગદર્શનથી યુક્ત જે હોય તે જ સમ્યગુજ્ઞાન કહેવાય એ નયથી દર્શન-જ્ઞાન-ચારિત્ર બરાબર છે. જ્યારે સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ થાય છે. માટે જ્ઞાન પ્રથમ છે. એ દૃષ્ટિએ જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ક્રમ છે તે પણ બરાબર છે. જ્ઞાન પ્રત્યે અપાર બહુમાન હોવું જોઈએ. જ્યારે પણ ભણીભણીને શું કરવું છે ! આવું બોલશો નહીં. આ શાનની આશાતના જ છે. જ્ઞાન તો અતિ આવશ્યક છે. લૌકિક જગત કે લોકોત્તર જગત બન્નેમાં જ્ઞાનની જરૂરત છે. તેના વિના એક ડગલું પણ આગળ વધાય તેમ નથી. જ્ઞાનની બાબતમાં તમે એટલું જ વિચારો કે પ્રભુતીર્થની સંઘની સ્થાપના ક્યારે થઈ શકી ! કોઈ તીર્થકર ભગવાન હોય જેમણે ચ્યવન-જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણક ઉજવાયા છે. છતાં શ્રી સંઘની સ્થાપના તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થઈ શકે છે. આવી મહત્તા જ્ઞાનની છે. આપણી પાસે અત્યારે તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બે છે. તેમાં મતિજ્ઞાન એ સાધન છે. શ્રુતજ્ઞાન એ સાધ્ય છે. આ શ્રુતજ્ઞાનની આરાધના, વિરાધના ટાળવાપૂર્વક કરવાની છે. આજે આરાધના ઘટી છે અને વિરાધના વધી છે. જેને યાદશક્તિ વધારવી હોય તેને એઠા મોઢે બોલવું ન જોઈએ. ચોપડીનાં પાનાં કે રૂપિયાની નોટને થુંક ન લગાડવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 322