________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪: જ્ઞાનગોષ્ઠી.
દેખાય, પણ ભાઈ ! સમયસાર સાંભળીને પરદ્રવ્યની ભિન્નતા, પરદ્રવ્યનું અકર્તાપણું, રાગાદિ ભાવોમાં હેયબુદ્ધિ ને અંદર પડેલી પરમાત્મશક્તિનું ઉપાદેયપણું નિરંતર એના શ્રદ્ધા-જ્ઞાનમાં ઘૂંટાય છે એ એના શ્રદ્ધા-જ્ઞાનનો સુધારો થાય છે તે આગળ વધ્યા નથી? અંદર શ્રદ્ધા-જ્ઞાનમાં સત્યના સંસ્કાર પડે છે તે આગળ વધે છે. શ્રદ્ધા-જ્ઞાનને સાચા કર્યા વિનાના જે ત્યાગ-તપ-વ્રત આદિ કરે છે તેને આત્માનુશાસનકાર તો કહે છે કે આત્મભાન વિનાનો બાહ્ય ત્યાગ આદિ છે તે અજ્ઞાનીને અંતરંગ બળતરા છે. અંતરંગ મિથ્યાત્વના ત્યાગ વિનાના બાહ્ય ત્યાગને સાચો ત્યાગ કહેતા નથી. અંદરમાં શ્રદ્ધા-જ્ઞાન-સ્વરૂપાચરણચારિત્રમાં જે સુધારો થાય છે તે જ સાચો સુધારો છે પણ બાહ્ય દષ્ટિના આગ્રહવાળાને તે દેખાતા નથી.
–આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬-૨૭
(૬૯) પ્રશ્ન- એકલા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી નિશ્ચયાભાસી થઈ જાય?
ઉત્તર:- ના, દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી ન થાય પણ વ્યવહાર છે જ નહિ તેમ નિષેધ કરે તો નિશ્ચયાભાસી થઈ જાય, એથી તો કહ્યું છે કે જેને નિશ્ચયનો અતિરેક હોય તેણે વ્યવહાર ગ્રહણ કરવો અને જેને વ્યવહારનો અતિરેક હોય તેણે નિશ્ચયને ગ્રહણ કરવો.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯-૨૦
(૭૦) પ્રશ્ન:- જે મુનિ આહારકશરીર બાંધે તેને તે ઉદયમાં આવે જ-એવો નિયમ છે?
ઉત્તર- ના; કોઈ મુનિ આહારકશરીર-નામકર્મ બાંધે પણ તેના ઉદયનો એટલે કે આહારક શરીરની રચનાનો પ્રસંગ કદી ન આવે, વચ્ચેથી જ તે પ્રકૃતિનો છેદ કરીને મોક્ષ પામી જાય. પરંતુ તીર્થકરનામકર્મમાં એવું ન બને, તીર્થકરનામકર્મ તો જેને બંધાય તે જીવને નિયમથી તે ઉદયમાં આવે જ.
આહારકશરીર-પ્રકૃતિ સાતમા કે આઠમાં ગુણસ્થાને બંધાય છે ને છઠ્ઠી ગુણસ્થાને ઉદયમાં આવે છે. કોઈ જીવ ક્ષપકશ્રેણી વખતે આહારકશરીર બાંધે ને સીધો કેવળજ્ઞાન પામે, છટ્ટ ગુણસ્થાને પાછો આવે જ નહિ એટલે તેને આહારકશરીરની રચનાનો પ્રસંગ ન આવે. છઠ્ઠા ગુણસ્થાને આહારકશરીરની રચનાવાળા મુનિવરો એક સાથે વધુમાં વધુ (૫૪) ચોપન હોય છે.
-આત્મધર્મ અંક ૨૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૦-૨૧
(૭૧) પ્રશ્ન:- અગિયાર અંગધારી દ્રવ્યલિંગીની શું ભૂલ રહી જાય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com