________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮: જ્ઞાનગોષ્ઠી છે છતાં સમ્યગ્દર્શનનું એવું માહાભ્ય છે કે તેને અશુભ ભાવ વખતે આયુષ્ય બંધાય નહિ, શુભભાવમાં જ આયુષ્ય બંધાય છે. સમ્યગ્દર્શનનો એવો પ્રભાવ છે કે તેને ભવ વધે તો નહિ, પણ હલકો ભવ પણ હોય નહિ, સ્વર્ગ આદિનો ઊંચો ભવ જ હોય.
-આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૬
(૨૪૬) પ્રશ્નઃ- જેના પ્રતાપે જન્મ-મરણ ટળે ને મુક્તિ મળે એવું અપૂર્વ સમ્યગ્દર્શન પાંચમાં આરામાં જલ્દી થઈ જાય ?
ઉત્તર- પાંચમાં આરામાં ક્ષણમાં સમ્યગ્દર્શન થાય. પાંચમો આરો આત્માને નડતો નથી. પાંચમાં આરાથી આત્મા પાર છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે વીરોના કામ છે, કાયરનું કામ નથી. પાંચમાં આરામાં ન થઈ શકે, હમણાં ન થઈ શકે એમ માનનારા કાયરનું આ કામ નથી. પછી કરીશ, કાલે કરીશ-એવા વાયદા કરનારનું આ કામ નથી. હુમણાં કરીશ, આજે જ કરીશ-એવા વીરોનું આ કામ છે. આત્મા આનંદસ્વરૂપ છે. તેની સામું જોવે તેને કાળ-આરો શું નડે!-શું કરે!
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૨
(૨૪૭) પ્રશ્ન- શુદ્ધાત્માની સચિરૂપ સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શન કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શનને સરાગસમ્યફ અને વીતરાગસમ્યફ એવા બે ભેદરૂપ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:- નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે વર્તતા રાગને બતાવવા માટે નિશ્ચય સમ્યકત્વને સરાગ સમ્યકત્વ કહેવામાં આવે છે. ત્યાં સમ્યગ્દર્શન તો નિશ્ચય છે પણ સાથે વર્તતો શુભરાગનો વ્યવહાર છે તેનો સંબંધ બતાવવા સરાગ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલાં તીર્થકર, ભરત, સગરચક્રિ, રામ, પાંડવ આદિને સમ્યગ્દર્શન તો નિશ્ચય હતું છતાં તેની સાથે વર્તતા શુભરાગનો સંબંધ બતાવવા તેમને સરાગ સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અહીં વીતરાગતાનું વજન દેવું છે તેથી નિશ્ચય સમ્યકત્વ હોવા છતાં સરાગ સમ્યકત્વ કહ્યું છે અને તેને વીતરાગ સમ્યકત્વનું પરંપરા સાધક કહ્યું છે. શુદ્ધાત્માની રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શનમાં સરાગ વીતરાગના ભેદ નથી. છે તો વીતરાગ સમ્યગ્દર્શન, પણ જ્યાં સ્થિરતાની મુખ્યતાનું કથન ચાલતું હોય ત્યાં સમ્યકત્વની સાથે વર્તતા રાગનો સંબંધ ગણીને તેને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે અને રાગરહિત સંયમવાળાને વીતરાગ સમ્યકત્વ કહ્યું છે. જેવો વીતરાગ સ્વભાવ છે તેવું પર્યાયમાં વીતરાગી પરિણમન થયું છે તેથી તેને વીતરાગી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
-આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૦
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com