________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 272: જ્ઞાનગોષ્ઠી શુદ્ધ ભાવ નથી પણ તેની પાછળ પાતાળ કુવો જે ચૈતન્યભગવાન છે તે શુદ્ધ ભાવ છે. નિર્મળ પર્યાયને પણ અહીં શુદ્ધભાવ કહ્યો નથી પણ તેને પરદ્રવ્ય કહ્યું છે. કેમ કે જેમ પરદ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તેમ નિર્મળ પર્યાયના આશ્રયે પણ નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી, તેથી નિર્મળ પર્યાયને પણ અહીં પરદ્રવ્ય કહ્યું છે. આહાહા ! પ્રભુ તારી મોટપ પાસે સિદ્ધ પર્યાયની પણ મોટપ નથી! એ બધી શુદ્ધ પર્યાયોને અહીં બહિર્તત્ત્વ કહે છે. અંત:તત્ત્વ તો એક આત્મા જ છે. ભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે અમે અને અમારા સંત સાધક અને શાસ્ત્ર એ બધા તારા માટે પરદ્રવ્ય છે. એ તો પરદ્રવ્ય છે જ પણ તેના લક્ષે થતો શુભરાગ એ પણ પરદ્રવ્ય છે. અરે! એ તો બધા પરદ્રવ્ય છે જ પણ સ્વના લક્ષે પ્રગટ થતાં સંવર-નિર્જરામોક્ષ એ પણ પર્યાય હોવાથી પરદ્રવ્ય છે. તેથી તે ઉપાદેય નથી. ઉપાદેય તો એક અંત:તત્ત્વરૂપ શુદ્ધાત્મા જ છે. 175. સંતો કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે! દેવ-ગુરુ પંચપરમેષ્ઠી આદિને જોવાનું તો બંધ કરી દે પણ ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરીને તારા દ્રવ્યને જોવાની આંખને ખુલ્લી કરીને જો ! ભાઈ ! આ તો પ્રવચનસાર એટલે સંતોના હૃદયના કાળજા છે. એ સંતો એમ કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે. નરકાદિ પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે પણ સિદ્ધ પર્યાયને જોવાનું બંધ કરી દે, તો તને દ્રવ્યભગવાનને જોવાના-દેખવાના ચક્ષુ ખુલી જશે. ભાઈ ! એકવાર જો તો ખરો! પ્રભુ! તું કોણ છો ! જ્યાં પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું. પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને દેખવાની આંખ ઉઘડી ગઈ. હવે એ ભગવાન છાનો નહિ રહી શકે ! 176. જીવની મનુષ્યપર્યાય મટીને એકદમ દેવપર્યાય થઈ જાય છે, એથી એમ લાગે કે મનુષ્યમાંથી એકદમ દેવ થઈ જાય એ પરને લઈને થયો હશે? ના, એમ નથી. એ મનુષ્યપર્યાયનો વ્યય થઈને જીવદ્રવ્ય દેવપર્યાયે ઊપજે છે. આ સત્યના સંસ્કારવાળા ઘણા તો અહીંથી દેવમાં જ જવાના. આ તત્ત્વને જે હંમેશા સાંભળે છે એ બધા તો મરીને સ્વર્ગમાં જ જવાના. દેવપર્યાય પહેલાં ન હતી ને પછી થઈ, તે મનુષ્યપર્યાય અન્ય છે ને દેવપર્યાય અન્ય થઈ એમાં જીવદ્રવ્ય અન્ય અન્ય પર્યાયે ઊપજે છે. કર્મને -પરને લઈને તે પર્યાયો થતી નથી કે મનુષ્યપર્યાયને લઈને થઈ નથી પણ જીવદ્રવ્ય તેના કર્તા-કર્મ-કરણ વડ તે પયોય ઊપજે છે. 177. સમાપ્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com