________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪: જ્ઞાનગોષ્ઠી છું. આત્મા તો ભગવાન સ્વરૂપ છે, બાળક આદિ તો શરીરની અવસ્થા છે ને રાગ થાય છે તે ક્ષણિક વિકારી અવસ્થા છે, તેની પાછળ શક્તિમાં ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપે બિરાજે છે. અંદરમાં પૂર્ણાનંદનો નાથ ભગવાન સ્વરૂપે બિરાજે છે. તેનું ધ્યાન કરતાં પર્યાયમાં ભગવાન પ્રગટ થાય છે. પ્રાપ્યની પ્રાપ્તિ હોય છે. આવા ચૈતન્ય ભગવાનનું સ્વરૂપ સાંભળતાં સાંભળતાં એની રુચિમાં સત્યના સંસ્કાર પડતા જાય છે ને પછી સંસ્કાર વધતા વધતા બહાર આવશે. જેમ કોરા માટીના ઘડામાં પાણીના ટીપા પડે છે તે પહેલા દેખાય નહિ પણ વધુ પડતાં પડતાં ઘડામાં પાણી બહાર દેખાય છે તેમ. ૧૪.
(બાળકો પ્રતિ પૂજ્યશ્રીના ઉદગારો)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com