Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 200
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કમબદ્ધપર્યાયઃ ૧૯૩ ઉત્તર:- ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈનદર્શન અકર્તાવાદ છે. આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણ કર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે પકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થ પૂર્વક થાય છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે ને! કે જ્ઞાન બંધ-મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા ! મોક્ષને જ્ઞાન જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતામાં થતા ક્રમસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે! -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠર૩ જો જો દેખી વીતરાગ ને, સો-સો હોશી વીરા રે; બિન દેખ્યો હોતી નહિ કયોંહી, કાહે હોત અધીરા રે. ૧ સમયો એક બઢે નહિ ઘટસી, જો સુખ-દુઃખકી પીરા રે; તું કયો સોચ કરૈ મન મૂરખ, હોય વજ જ્યોં હીરા રે. ૨ લગે ન તીર કમાન બાન કર્યું, માર સર્કે નહીં મીરા રે; તૂ સારિ પૌરુષ બલ અપનો, સુખ અનંત તો તીર રે. ૩ નિશ્ચય ધ્યાન ધરહુ વા પ્રભુ કો, જો ટારે ભવ ભીરા રે; ભૈયા' ચેત ઘરમ નિજ અપનો, જો તારે ભવ નીરા રે. ૪ -ભૈયા ભગવતીદાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278