________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કમબદ્ધપર્યાયઃ ૧૯૩ ઉત્તર:- ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈનદર્શન અકર્તાવાદ છે. આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણ કર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે પકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થ પૂર્વક થાય છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે ને! કે જ્ઞાન બંધ-મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા ! મોક્ષને જ્ઞાન જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતામાં થતા ક્રમસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે!
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠર૩
જો જો દેખી વીતરાગ ને, સો-સો હોશી વીરા રે; બિન દેખ્યો હોતી નહિ કયોંહી, કાહે હોત અધીરા રે. ૧ સમયો એક બઢે નહિ ઘટસી, જો સુખ-દુઃખકી પીરા રે; તું કયો સોચ કરૈ મન મૂરખ, હોય વજ જ્યોં હીરા રે. ૨ લગે ન તીર કમાન બાન કર્યું, માર સર્કે નહીં મીરા રે; તૂ સારિ પૌરુષ બલ અપનો, સુખ અનંત તો તીર રે. ૩ નિશ્ચય ધ્યાન ધરહુ વા પ્રભુ કો, જો ટારે ભવ ભીરા રે; ભૈયા' ચેત ઘરમ નિજ અપનો, જો તારે ભવ નીરા રે. ૪
-ભૈયા ભગવતીદાસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com