Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 206
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ: ૧૯૯ શુદ્ધોપયોગ વિના શુભરાગ છૂટતો નથી પણ તેમાંથી હિતબુદ્ધિ છોડવાની છે. –આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪ (૬૦૭) પ્રશ્ન:- આવું જાણવાથી જીવો શુભભાવ છોડી દેશે ? ઉત્તર-શુભભાવની રુચિ છોડવાની વાત છે. શુભભાવ છૂટતો નથી. ભૂમિકા વધતા શુભભાવ તો વધતો જાય છે પણ તેમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ હોતી નથી. -આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૬૦૮) પ્રશ્ન:- અજ્ઞાનીના વ્રતાદિ બંધના કારણ છે પણ જ્ઞાનીના વ્રતાદિ તો મોક્ષના કારણ છે ને? ઉત્તર- જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, વ્રત આદિનો શુભરાગ પરના આશ્રયે થતો હોવાથી બંનેને બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ નથી. જ્ઞાનીને જે વ્રત આદિ શુભ રાગ આવે છે તેમાં પણ આકુળતા છે, ઉદ્વેગ છે, દુઃખરૂપ છે, તેથી બંધનું કારણ છે. સ્વસમ્મુખ થતાં જે શુદ્ધ પરિણામ થાય તે જ મોક્ષનું કારણ છે. –આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૦૯) પ્રશ્ન:- આત્માનો અનુભવ થયા પહેલાં શુભરાગને હેય માનવો ઉચિત છે? ઉત્તર- આત્મઅનુભવ થયા પહેલાં પણ તેણે શુભરાગ હેય છે તેમ નક્કી કરવું જોઈએ, સમકિત પહેલાં પણ એને શ્રદ્ધાનમાં શુભરાગનો નિષેધ આવવો જોઈએ. શુભરાગ છૂટે છે તો સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે, પણ તેનો નિષેધ તો પહેલેથી આવવો જોઈએ. જો શુભરાગનો આદર કરશે તો મિથ્યાત્વ દૃઢ થશે. શુભરાગને હેય જાણવાથી કાંઈ અશુભરાગમાં જવું એમ નથી. -આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧ (૧૦) પ્રશ્ન- સમ્યગ્દર્શન વિના વ્રત-તપ-દાન-શીલ અફળ છે? ઉત્તર- હા, સમ્યગ્દર્શન વિનાના વ્રતાદિ બધું મુક્તિ માટે અફળ છે અને સંસાર વધારવા માટે સફળ છે. -આત્મધર્મ અંક ૪૩ર, ઓક્ટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278