Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 202
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કારણશુદ્ધપર્યાયઃ ૧૯૫ (૫૯૭) પ્રશ્ન:- કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય કયા નયનો વિષય છે? ઉત્ત૨:- કારણશુદ્ધપર્યાય સહજશુદ્ઘનિશ્ચયનયનો વિષય છે ને આ કાર્યશુદ્ધપર્યાય શુદ્ધસદ્દભૂત વ્યવહારનયનો વિષય છે. -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૫ (૫૯૮ ) પ્રશ્ન:- કેવળજ્ઞાનાદિની શુદ્ધપર્યાયોને નિરપેક્ષ કહી અને કારણશુદ્ધપર્યાયને પણ નિરપેક્ષ કહી-તો તે બન્ને પ્રકા૨ના નિરપેક્ષોમાં શું તફાવત છે? ઉત્ત૨:- જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી જે કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટી તે પણ સ્વભાવપર્યાય છે અને તેને ઈન્દ્રિયો વગેરેની અપેક્ષા નથી તે અપેક્ષાએ તેને નિરપેક્ષ કહેવાય, પરંતુ કર્મના ક્ષય સાથે તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એટલી અપેક્ષા તેનામાં આવે છે; ત્યારે આ કારણશુદ્ધપર્યાયમાં તો કર્મ સાથેના નિમિત્તનૈમિત્તિકસંબંધની પણ અપેક્ષા નથી, તે તો દ્રવ્ય સાથે ત્રિકાળ નિરપેક્ષપણે વર્તે છે! -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૩ કારણશુદ્ધપર્યાયથી તાત્પર્ય શું? सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजज्ञानसहज चारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्वभावानन्तचतुष्टय स्वरूपे - ण सहाञ्चितपंचमभावपरिणतिरेवकारणशुद्धपर्याय इत्यर्थः। અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજ૫રમવીતરાગસુખાત્મકશુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણિત ( –તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિક ભાવની પરિણિત ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે. -શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત નિયમસાર ગાથા ૧૫ની ટીકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278